________________
(૩૮૦)
યોગદષ્ટિસમુચ્ચય રત્ન તણે ઉપલંભ ને, તેહ તણું વળી જ્ઞાન; પ્રાપ્તિ આદિ પણ એહના, જેમ હોય આ સ્થાન; એહ ક્રમ અનુસારથી, ઉદાહરણ અહીં જાણ;
બુદ્ધિ આદિની સિદ્ધિને કાજે સાધુ પ્રમાણ, ૧૨૨ અર્થ -રત્નની જાણ (ખબર ) થવી, તેનું જ્ઞાન થવું, અને તેની પ્રાપ્તિ વગેરે થવી,-એમ અનુક્રમે અહીં બુદ્ધિ વગેરેની સિદ્ધિ અર્થે સાધુ (સમ્યફ-સાધક) ઉદાહરણ જાણવું.
વિવેચન રત્નને ઉપલંભ એટલે કે આંખથી દેખીને આ રત્ન છે એવી સામાન્યથી ખબર પડવી, તે ઇંદ્રિય અર્થને આશ્રય કરતી બુદ્ધિ છે. તેનું જ્ઞાન એટલે કે આગમપૂર્વક તે
રત્નનું જાણપણું થવું તે જ્ઞાન છે. અને તે રત્નની પ્રાપ્તિ આદિ તે રત્નનું દષ્ટાંત બેધગર્ભપણને લીધે અસમેહ છે. આમ અનુક્રમે અહીં બુદ્ધિ
આદિ પરત્વે સાધુ-સમ્યફ ઉદાહરણ છે; કારણ કે તે અભિપ્રેત-ઈષ્ટ અર્થનું બરાબર સાધક છે, એટલા માટે જ બુદ્ધિ, જ્ઞાન, અસંમોહનું બરાબર સચોટ સ્વરૂપ સમજવા માટે અત્રે આ લૌકિક રત્નનું દષ્ટાંત રજુ કર્યું છે: (૧) જેમ કે એક રત્ન હય, તેને દેખી સામાન્યથી ચક્ષુઈદ્રિયના વિષયથી “આ રત્ન છે” એવું જે જાણપણું, તે બુદ્ધિરૂપ બંધ છે. (૨) અને રનના લક્ષણ દર્શાવનારા પ્રતિપાદક શાસ્ત્ર દ્વારા, તેના આધારે, તે રત્ન સંબંધી લક્ષણનું વિશેષ જાણપણું, તે જ્ઞાનરૂપ બેધ છે. (૩) અને તે રત્નનું નિશ્ચિત સ્વરૂપ જાણી, તેને તથાસ્વરૂપે ઓળખી, તે રત્નની પ્રાપ્તિ વગેરે થવી, તે અસંમેહરૂપ બંધ છે. અસંમેહમાં તથારૂપ જ્ઞાન તે અંતભૂત હોય જ છે, કારણપણે તથારૂપ યથાર્થ જ્ઞાન ન હોય તે અસંમોહ કેમ ઉપજે ? ઓળખ્યા વિના, સ્વરૂપ સમજ્યા વિના ગ્રહણ કેમ કરે? એટલે સમ્યકપણે ઓળખી, સાક્ષાત્ પ્રાપ્તિ આદિ જ્યાં હેય, ત્યાં સુમેહ કયાંથી હોય? અસંમોહ જ હોય.
સદનુષ્ઠાનનું લક્ષણ કહે છે आदरः करणे प्रीतिरविघ्नः संपदागमः । जिज्ञासा तज्ज्ञसेवा च सदनुष्ठानलक्षणम् ॥ १२३ ॥ કૃતિઃ—મા --આદર, યત્નાતિશય (અતિશય યત્ન), -ઇષ્ટ આદિ કરણમાં–ક્રિયામાં, કીતિ -પ્રીતિ, અભિવંગરૂપ પ્રીતિ ( પ્રેમ, ગાઢ સ્નેહ), અવિત્ર-અવિદ્ય,–તેના કરણમાં જ, તે ઈષ્ટ આદિ કરવામાં અવિઘ-અદૃષ્ટના સામર્થ્યને લીધે, સંપામ-સંપ આગમ, સંપત્તિની પ્રાપ્તિ, તેથી કરીને જ શુભભાવરૂપ પુણ્યસિદ્ધિને લીધે, નાજ્ઞા યા-જિજ્ઞાસા, જાણવાની ઈચછા, ઈષ્ટ આદિ વિષયની જ જિજ્ઞાસા, તજ્ઞતેવા ૪-અને તજજ્ઞની–તેના જાણકાર જ્ઞાતા પુરુષની સેવા, ઇષ્ટ ઉચિત સેવા, ૬શબ્દ ઉપરથી અનુગ્રહનું ગ્રહણ છે, મનુષ્ઠાનસ્ટક્ષણ- આ સદનુષ્ઠાનનું લક્ષણ છે. કારણ કે એનું અનુબંધસારપણું છે ( અનુબંધપ્રધાનપણું છે, ૫રં૫રાએ એને ઉત્તરોત્તર શુભ અનુબંધ થયા કરે છે).