________________
(૫૮૪)
ચાગલદિસમુમ
સભ્યદૃષ્ટિ ચેાગી પુરુષ, સમસ્ત પરભાવ-વિભાવના સંગ-સ્પર્શ' વિનાના પરમ અસંગ અનુષ્ઠાનને પામી, પરમ અમૃતમય આત્મધ્યાનદશાને પામે છે.
“પ્રીતિ ભક્તિ અનુષ્ઠાનથી રે....મન॰ વચન અસ’ગી સેવ રે....ભાવિ
કર્તા તન્મયતા લહેરે....મન પ્રભુ ભક્તિ સ્વયમેવ રે....ભવિ॰ ’’—શ્રી દેવચ’દ્રજી,
આવુ. પરમ અમૃતમય અસંગ અનુષ્ઠાન મહાપથના પ્રયાણુરૂપ છે, મહામાક્ષમાર્ગ પ્રત્યેના સાક્ષાત્ ગમનરૂપ-છેલ્લી મજલરૂપ છે. આ અસંગ અનુષ્ઠાનથી જ સાક્ષાત મેક્ષમાગની પ્રાપ્તિ હોય છે. અને એટલા માટેજ આ અસંગ અનુષ્ઠાનને અહીં ‘અનાગામિપદાવહ ' કહ્યું છે, અર્થાત્ અપુનરાવર્ત્ત પદ કે જ્યાંથી પુન: પાછુ ફરવાનું નથી, એવું નિત્યપદ, શાશ્વત મેક્ષપદ તે પ્રાપ્ત કરાવનાર છે. આ અસંગ અનુષ્ઠાન થકી જ નિત્ય-સદા સ્થિર એવા મેાક્ષપદની પ્રાપ્તિ હોય છે. કારણકે આ અસ’ગાનુષ્ઠાન તે ઉપરમાં કહ્યું' તેમ પરમાત્માના તન્મય ધ્યાનરૂપ અનાલંબન યાગ છે, અને પરમાત્માના સ્વરૂપધ્યાન આલંબને આત્મા અવશ્ય પરમાત્મા થાય છે,-ઇયળ જેમ ભમરીના ધ્યાનથી ભમરી અને છે તેમ.
66
જિન ભક્તિરત ચિત્તને રૈ, મન॰ વેધક રસ ગુણપ્રેમ રે. ભવિ
સેવક જિનપદ પામશે રે, મન૦ રસવેતિ અય જેમ રે. ભવિ॰ ”— શ્રી દેવચંદ્રજી
“ જિન થઇ જિન જે આરાધે, તે સહી જિનવર હાવે રે;
ભૃંગી ઇલિકાને ચટકાવે, તે ભૃંગી જગ જોવે રે. ”—શ્રી આનદઘનજી.
5
આના નામા કહે છે—
प्रशान्तवाहिता संज्ञं विसभागपरिक्षयः ।
शिववर्त्म धुवाध्वेति योगिभिर्गीयते ह्यदः ।। १७६ ॥ વિસભાગપરિક્ષય અને, શાંતવાહિતા નામ;
ધ્રુવમા શિવપથ આ, ગીત યાગીથી આમ. ૧૭૬,
અર્થ :—પ્રશાંતવાહિતા સંજ્ઞાવાળું આ અસંગ અનુષ્ઠાન વિસભાગપરિક્ષય, શિવવમ્, ધ્રુવમાગ' એમ યાગીઓથી ગવાય છે.
વિવેચન વિસભાગક્ષય શાંતવાહિતા, ધ્રુવમારગ શિવ નામ;
કરે અસંગ ક્રિયા ઇહાં યેાગી, વિમલ સુયશ પરિણામ રે.”—ય. સજ્ઝા, ૭–૧. વૃત્તિ:-ત્રાતિજાતિાસંજ્ઞમ્—પ્રશાંતવાહિતા સંત્તાવાળું, સાંખ્યાનુ. વિલમાળવયઃ—વિસભાગપરિક્ષય, બૌદ્ધોનું. શિવવત્મ-શિવવત્મ, શિવમાત્ર, શૈવાનું-ધ્રુવધ્યા–ધ્રુવમાગ,—મહાવ્રતિક્રાનું, કૃતિ—એમ, ચેશિમિ યતે હવ:-ખા અસંગ અનુષ્ઠાન યાગીઓથી ગવાય છે.
66