________________
કાંતા દૃષ્ટિ : ભાગતત્ત્વની મેાક્ષમાર્ગે અપ્રગતિ-સ્થિતિ’
“ રાગ દ્વેષે ભર્યાં માહ વૈરી નડયો, લેકની રીતમાં ઘણુંય રાતા; ક્રોધ વશ ધમધમ્યા, શુદ્ધ ગુણ નવ રમ્યા, ભમ્યા ભવમાંહિ હુ' વિષય માતા.... તાર હેા તાર પ્રભુ! મુજ સેવક ભણી.”–શ્રી દેવચ'દ્રજી
(૫૪૫)
વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છ ંદથી કરતાં જીવને ઉદાસીનતા કેમ ન આવી? બીજા જીવા પરત્વે ક્રોધ કરતાં, માન કરતાં, માયા કરતાં, લાભ કરતાં કે અન્યથા કરતાં તે માઠુ છે એમ યથાયેાગ્ય કાં ન જાણ્યુ^? અર્થાત્ એમ જાણવું જોઇતુ હતુ, છતાં ન જાણ્યુ. એ વળી ફરી પરિભ્રમણ કરવાના વૈરાગ્ય આપે છે.” ઈ. —શ્રીમદ્ રાજચ'દ્ર, પત્રાંક ૧૧૫ (૧૨૮)
અને પછી તે તે તુચ્છ કદન્ન જેવા વિષયસુખમાં આ મેહમૂઢ જીવને એટલે અધો રંગ લાગી જાય છે, એટલા બધા તન્મય રસ જામે છે, કે તેની પ્રાપ્તિમાં નિરતર નિમગ્ન રહે છે, અને તેને જ સુંદર માને છે, બીજુ કાંઈ તે ખાપડા જાણતા નથી. કારણ કે સુસ્વાદુ ભોજનને સ્વાદ તેને સ્વપ્ને પણ લાધ્યો નથી. એટલે ડુક્કરને જેમ કાદવમાં પડયા રહેવુ ગમે છે, તેમ તેને વિષય -કદન્તમાં રચ્યા-પચ્યા રહેવુ ગમે છે. તે વિષ્ટાના ભ્રમરને જેમ વિષ્ટાની સુગધી જ સારી લાગતી હતી, તેમ આ વિષયના ભ્રમરને વિષયની ગધ જ સારી લાગે છે!
“તેને સુંદર માને રાંક, ખીજું ન જાણે તેહ વરાક; સુસ્વાદુ ભોજનને સ્વાદ, સ્વપ્ને પણ એને ન પ્રાપ્ત.”
ઉ. ભ. પ્ર. ૧ (ડો. ભગવાનદાસ મ. મહેતાકૃત અનુવાદ)
આમ પરપરિણતિના રાગીપણે, પર રસર`ગે રક્ત થયેલેા આ જીવ, પર વસ્તુને ગ્રાહક અને રક્ષક બની, પરવસ્તુના ભોગમાં આસક્ત થઈને અનંત કાળ પર્યંત સ'સારમાં રખડે છે. અને આમ પેાતાનું આત્મદ્ગિત ચૂકી, આ મહામેહમૂઢ જીવ વેઠીઆ પેઠીઆની પેઠે પારકી વેઠ ઉઠાવી, હાથે કરીને નાહકના હેરાન હેરાન થાય છે! ભાવિતાત્મા મહાત્માઓના વચનામૃત છે કે–
પરપરિણતિ રસ રંગતા, પરગ્રાહકતા ભાવ....નાથ રે !
પર કરતા પર ભોગતા, ક્ષ્ા થયા એઠુ સ્વભાવ ?....નાથ રે !”-શ્રી દેવચ`દ્રજી,
“જે ક્રિયાને વિષે જીવને રંગ લાગે છે. તેને ત્યાં જ સ્થિતિ હાય છે, એવા જે જિનનેા અભિપ્રાય તે સત્ય છે. ત્રીશ મહામહનીયનાં સ્થાનક શ્રી તીર્થંકરે કહ્યાં છે તે સાચા છે.”—શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૪૮ (હાથનેાંધ, ૨–૧૯)