________________
(પર૦)
યોગદષ્ટિસમુચ્ચય વાળીને જોતા નથી, તેની તમા પણ કરતા નથી ! એ પરમ અદ્દભુત ગુણવૈરાગ્ય જ્ઞાની પુરુષને હોય છે!
તે આત્મસ્વરૂપથી મહતું એવું કંઈ નથી. એ આ સૃષ્ટિને વિષે કઈ પ્રભાવજોગ ઉત્પન્ન થયો નથી, છે નહી, અને થવાનું નથી કે જે પ્રભાવજેગ પૂર્ણ આત્મસ્વરૂપને પણ પ્રાપ્ત ન હોય; તથાપિ તે પ્રભાવ જોગને વિષે વર્તાવામાં આત્મસ્વરૂપને કંઈ કર્તવ્ય નથી, એમ તે છે, અને જો તેને તે પ્રભાવનેગને વિષે કંઈ કર્તવ્ય ભાસે છે તે તે પુરુષ આત્મસ્વરૂપનાં અત્યંત અજ્ઞાનને વિષે વસે છે, એમ જાણીએ છીએ.”
બાકી જેટલાં સમ્યકત્વનાં સ્થાનક છે, અને જ્યાં સુધી સમ્યક્ પરિણામ આત્મા છે ત્યાં સુધી તે એકે જોગને વિષે જીવને પ્રવૃત્તિ વિકાળે સંભવતી નથી.” –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૩૭, ૩૬૯. (૪૧૧, ૪૫૦)
આ જ અર્થ સ્પષ્ટ કરતાં કહે છે–
अस्यां तु धर्ममाहात्म्यात्समाचारविशुद्धितः। प्रियो भवति भूतानां धर्मे काग्रमनास्तथा ॥ १६३ ॥
આમાં ધર્મ માહાસ્યથી, હેય વિશુદ્ધાચાર;
તેથી હોય પ્રિય પ્રાણિને, ધર્મ એકમન ધાર. ૧૬૩ અર્થ અને આ જ દૃષ્ટિમાં ધર્મના મહાવ્યથકી સમ્યક આચારની વિશુદ્ધિને લીધે, યોગી પ્રાણીઓને હેય પ્રિય છે, તથા ધર્મમાં એકાગ્ર મનવાળો હોય છે.
વિવેચન આ કાંતા દૃષ્ટિમાં જ નિયમે કરીને ધર્મના માહાભ્યરૂપ કારણ થકી સમ્યફ આચારવિશુદ્ધિ હોય છે અને તેથી કરીને જ અત્રે સ્થિતિ કરતે સમ્યગદષ્ટિ યોગી પુરુષ પ્રાણીઓને આપોઆપ પ્રિય થઈ પડે છે, તથા તે ધર્મમાં એકાગ્ર ચિત્ત ધરાવે છે.
ધર્મને મર્મ ધર્મને અપૂર્વ મહિમા. “જિન હી હે આતમા, અન્ય હઈ સે કમ;
કર્મ કરે સો જિન બચન, તત્ત્વજ્ઞાનીકે મર્મ. ” -શ્રીમદ્ રાજચંદ્રજી. વૃત્તિઃ-શલ્યાં સુ-આ જ કાંતા દષ્ટિમાં-નિયેગથી, નિયમથી, ધર્મમાચા-ધમ માહાત્મરૂપ કારણ થકી, સમાવાવિશુદ્ધિત-સમદ્ આચારવિશુદ્ધિરૂપ હેતુને લીધે, શું ? તે કે-બિયો મવતિ મુતનામભતેને-પ્રાણીઓને પ્રિય હોય છે, ઘÁજાબમનાસ્તથા તથા ધર્મમાં એકામ મનવાળો હોય છે,