________________
દોમાદષ્ટિ : શ્રુત-શીલ-સમાધિમાં અભિનિવેશ યુક્ત
(૩૩૧) નથી,–ઘાણીના બેલની જેમ.” આંખે પાટા બાંધેલ ઘાણીને બેલ આખો વખત ભમ્યા કરે, પણ કેટલું ચાલે તેનું તેને ભાન નથી હોતું; તેમ પોતપોતાના પક્ષના અભિનિવેશથી અંધ થયેલા વાદીઓ વિચિત્ર પ્રકારે વાદ વદે છે, છતાં બેલાઈ રહેલા તત્ત્વને તે તેઓ પામતા નથી ! “તર્ક વિચારે રે વાદપરંપરા રે, પાર ન પહોંચે કોય; અભિમત વસ્તુ વસ્તુગતે કહે રે, તે વિરલા જગ જોય.
...પંથડો નિહાળું રે બીજા જિનત.” શ્રી આનંદઘનજી એટલા માટે મુમુક્ષુ જીવે કુતર્ક માં બીલકુલ અભિનિવેશ કરવા યોગ્ય નથી. પણ આ મહાત્મા મુમુક્ષુઓને જે કયાંય પણ અભિનિવેશ કરવો યોગ્ય હોય, તે તે શ્રતમાં–
સદાગમમાં કરવો યોગ્ય છે, પરદ્રોહથી વિરતિ લક્ષણવાળા શીલમાંશીલાદિમાં શુદ્ધ ચારિત્રમાં કરવો યોગ્ય છે, અને ધ્યાનના ફલરૂપ સમાધિમાં કરવો અભિનિવેશ યોગ્ય છે. કારણ કે શ્રત, શીલ ને સમાધિ જ એવા શુભ સ્થાનક યુક્ત છે, કે જ્યાં અભિનિવેશ કરે એટલે કે અંતઃપ્રવેશ કર, દઢ
આગ્રહ ધરે, દઢતાથી વળગી રહેવું, મજબૂત પકડ કરવી –એ આત્માથી મુમુક્ષુને હિતાવહ હોઈ યુક્ત છે, પરમ પ્રશસ્ત છે. જો કે આગ્રહરૂપ-કદાગ્રહરૂપ, મતાગ્રહરૂપ અભિનિવેશ તે સર્વથા અનિષ્ટ હેઈ સર્વત્ર વજર્ય જ-ત્યાગવા યોગ્ય જ છે, તે પણ અત્રે જે શ્રત આદિમાં અભિનિવેશ કહ્યો, તે કદાગ્રહના અર્થમાં નથી, પણ સદાગ્રહરૂપસત્યાગ્રહરૂપ પ્રશસ્ત અર્થમાં છે; અત્રે અભિનિવેશ એટલે અત્યંત અંતઃપ્રવેશ એમ અર્થ ઘટે છે. આમ શ્રતમાં અભિનિવેશ કરવો એટલે શ્રતને દઢ ભક્તિથી આરાધવું, શ્રત સાગરમાં ઊંડે પ્રવેશ કરી તેના અર્થનું અવગાહન કરવું. શીલમાં અભિનિવેશ કરવો એટલે શીલને-શુદ્ધ ચારિત્રને દઢપણે, ચુસ્તપણે, મક્કમપણે વળગી રહેવું, ચીટકી રહેવું, શીલને અખંડ અભંગપણે સેવવું. સમાધિમાં અભિનિવેશ કરે એટલે દઢતાથી સમાધિમાં પ્રવેશી અક્ષેભ રહેવું, “ઘરx પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહિં તે સ્થિરતાને અંત જે,”—એવી અખંડ આત્મસમાધિ પ્રાપ્ત કરવી.
આમ પ્રશસ્ત અર્થમાં–શ્રત, શીલ ને સમાધિની દઢ આરાધનાના સમર્થ અર્થમાં, શ્રુત–શીલ-સમાધિ પ્રત્યે અભિનિવેશ કરે તે મુમુક્ષુને સર્વથા યોગ્ય છે; કારણ કે તે શ્રત–શીલ-સમાધિ મુમુક્ષુ જોગીજનના મેક્ષરૂપ ઈષ્ટ પ્રજનની સિદ્ધિને ઉત્તમ સાધન છે. માટે તેની દઢ લગનીરૂપ આરાધના કરવી, ૨ઢ લગાડીને તેની પાછળ મંડી પડવું, તેમાં અભિનિવેશ-અત્યંત તન્મયતારૂપ પ્રવેશ કરવો તે મુમુક્ષુને અત્યંત ગ્ય છે.
૪ જુઓ શ્રીમદ્ રાજચંદ્રજીત અપૂર્વ અવસરવાળું અત્યંત સુપ્રસિદ્ધ અમર કાવ્ય.