SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીનકાળમાં એવા નગરો હતાં કે જ્યાં કોઈપણ વસ્તુનું તોલમાપ કરવામાં નહોતું આવતું. તોલમાપ કરીને લે-વેચ કરવાનો નિષેધ હતો. જો કોઇ તે પ્રમાણે કરતો પકડાય તો રાજદંડને યોગ્ય ગણાતો હતો. જે દેશમાં દૂધ, છાશ વગેરે તો એમ જ મફતમાં આપી દેવાતાં હતાં ત્યાં આજે પાણીના પણ પૈસા લેવાય છે. કલિકાળની કેવી બલિહારી ! () - મg () (અશુચિ, વિષ્ઠા) (2) પુછUT - મેથ્યપૂof () (અશુચિથી ભરેલ) બાર ભાવનામાં એક ભાવના છે અશુચિભાવના. આ શરીર જે રૂપવાનું દેખાય છે તે તો માત્ર બાહ્યસ્વરૂપ છે. બાકી અંદર તો મળ, મૂત્ર, વિષ્ઠાદિ ભરેલા છે. તેવા શરીરમાં રાગ કે દ્વેષ શું કરવો. દસેય દ્વારમાંથી માત્ર અશુચિનો જ નિર્ગમ થાય છે. તો પછી તેનું રૂપવાનુપણું ક્યાં રહ્યું? માટે આવા અશુચિમય શરીર પર રાગ કરવા કરતાં મોક્ષમાર્ગ સાધક જિનધર્મ પર રાગ કરવો શ્રેયસ્કર છે. મિ () મય - 3 (.) (અશુચિમય, વિષ્ઠાપૂર્ણ) મિ(P) રસ - મધ્યરસ (ઈ.) (અશુચિ રસ, વિઝારસ) fમ (2) સંમય - સંમૃત (ઉ.) (વિષ્ઠામાંથી ઉત્પન્ન થયેલ, વિષ્ઠામાં ઉપજેલ) થોડીક ગંદકી જોઇ નથી કે માણસનું મોઢું બગડ્યું નથી. થોડીક પણ દુર્ગધ આવતાં નાક તણાઈ જાય અને માથાના ભવાં ખેંચાઇ જાય છે. અરે ભાઈ! જ્યારે તું માતાના પેટમાં હતો ત્યારે નવ નવ મહિના મળમૂત્રની વચ્ચે વિતાવ્યા છે. એટલું જ નહિ આ શરીરની ઉત્પત્તિ પણ તે જ વિષ્ઠાદિ મળમાંથી થયેલી છે. પછી આજે બહારી દુનિયામાં સારા ખરાબનું નાટક શા માટે કરવું? મક (જે) કર -- અમેચ્યોર (પુ.) (અશુચિનો ઢગલો, વિઝાનો ઢગલો) મિત્ત - મિત્ર(.). (શત્રુ, દુશ્મન, અતિસાધક) જિનેશ્વર પરમાત્માએ મોહનીયકર્મને પ્રાણીનો નિતાંતે દુશમન કહેલો છે. જીવનું તે ક્યારેય ભલું કરતો નથી ઉલટું તેનું અહિત કરે છે. છતાં પણ તેની મોહજાળમાં ફસાયેલા પ્રાણીઓ તેને પોતાનો પરમમિત્ર માને છે. તેના દોરવાયા અસત્કાર્યોમાં પ્રવૃત્ત થઇને સરળતાથી દુર્ગતિમાં પહોંચી જાય છે. જય - અમૃત (f) (1. મરણનો અભાવ છે જેને તે, સિદ્ધ 2. સુધા, અમૃત) સુભાષિત સંગ્રહમાં કહ્યું છે કે વર્ષાઋતુમાં લવણ અમૃત છે, શરદઋતુમાં જલ અમૃત છે, હેમંતઋતુમાં ગોપીઓ અમૃતસમાન છે, શિશિરઋતુમાં આમળાનો રસ અમૃતસમાન છે, વસંતઋતુમાં ઘી અમૃત છે અને ગ્રીષ્મકાળમાં ગોળ અમૃત સમાન છે. તેમજ પરભવ જતાં જીવ માટે ધર્મ અમૃતસમાન છે.' #મિત (2) (પરિમાણરહિત, અસંખ્ય, અનંત 2. કેવલજ્ઞાન) ભગવતીસૂત્રના પાંચમાં શતકના ચોથા ઉદ્દેશામાં કહેલું છે કે ‘ત્રિકાલ અબાધિત એવું કેવલજ્ઞાન ધરાવતાં કેવલી ભગવંતો - 33 -
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy