SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ શક્ત. આવા વિચાર કરનારા માટે શાસ્ત્રોમાં કહેલું છે કે કોઇ વ્યકિત એમ વિચારે કે મારે પાણીથી નહાવું છે. પરંતુ હું મેલો નથી. માટે પહેલા હું કાદવથી પહેલા મારા શરીરને મલિન કરી દઉં અને પછી પાણીથી સ્નાન કર્યું. અરે ! હાવા માટે જેમ કાદવમાં ગંદા થવાની જરૂર નથી. તેવી જ રીતે ધર્મ કરવા માટે માત્ર પૈસાની જરૂર નથી. ધર્મ તો પૈસા વિના પણ થઇ શકે છે. માટે આવા ખોટા વિચારો છોડીને સાચા માર્ગે આવો. ઝાક - ગરિક (B.). (આદ્ય, પ્રથમ, પહેલો) બાન્દ્ર- મરિન્દ્ર(કું.) (આદ્ય ચંદ્ર, પ્રથમ ચંદ્ર, પૂર્વનો ચંદ્ર) સૂર્ય પ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિ આગમમાં આદિમ ચંદ્રનો અર્થ કરતાં લખ્યું છે કે ‘તિ લોકમાં અસંખ્યદ્વીપ અને સમુદ્રો આવેલા છે. તેમાં પ્રથમ દ્વીપ અને પછી સમુદ્ર એ પ્રમાણેનો ક્રમ છે. પ્રત્યેક દ્વીપ અને સમુદ્રો જેમ અલગ છે તેમ તેના સૂર્ય અને ચંદ્ર પણ અલગ છે. તેમજ પછી પછીના દ્વીપ-સમુદ્રોમાં રહેલા સૂર્ય ચંદ્રની અપેક્ષાએ તેની પહેલાના દ્વીપ-સમુદ્રોમાં રહેલા સૂર્ય અને ચંદ્રને આદિમસૂર્ય કે આદિમચંદ્ર કહેવામાં આવે છે.' માસૂર - મિસૂર્ય (.) (આદ્ય સૂર્ય, પ્રથમ સૂર્ય) () () 1 - મનિન (1) (1. ઉંદરના ચર્મથી બનેલ વસ્ત્રવિશેષ 2. દ્વાપવિશેષ 3. સમુદ્રવિશેષ) જેમ રેશમ, કપાસ વગેરેમાંથી વસ્ત્રો બને છે. તેમ વાઘ, સિંહ, મગર, ઉંદર વગેરે પ્રાણીઓના શરીરમાંથી પણ વસ્ત્રાદિ બનતા હોય છે. હિંસક લોકો વિવિધ પ્રાણીઓના શરીરમાંથી બનેલા વસ્ત્રો, જૂતા, બેલ્ટ પહેરવાના શોખીન હોય છે. અને તેમના શોખોને પૂરા કરવા માટે તથા વધારે પૈસા કમાવવાની લાલચે ક્રૂર અને ઘાતકી સ્વભાવના લોકો અબોલ અને નિર્દોષ એવા જીવોની કલેઆમ ચલાવતા જરાપણ અચકાતા નથી. એકવાર વિચારી જુઓ આપણા શરીર પર એક નાનકડી ટાંકણી પણ વાગી ગઇ હોય તો કેવી ચીસ નીકળી જાય છે. તો પછી જેમની ગરદન પર મોટા મોટ છરા ફેરવીને પ્રાણ હરી લેવામાં આવે છે તેવા જીવોનું દર્દ કેટલું હશે ? * બાલીન (.). (અત્યંત દીન, અતિગરીબ) શાસ્ત્રોમાં સાધુ માટે એક શબ્દ વપરાયો છે ભિક્ષુક. અર્થાતુ ધર્મારાધના અને ઉદરપૂર્તિ માટે જરૂરી એટલી ભિક્ષા માંગીને જીવનયાપન કરનાર, શ્રમણને ભિક્ષક થવાની છૂટ છે પરંતુ ભિખારી થવાની છૂટ નથી. એટલે ભિક્ષા મેળવવા માટે સાધુએ અત્યંત ગરીબડા થવાની જરાપણ જરૂર નથી. સાધુ એ ધર્મના રાજા છે અને રાજા ક્યારેય પણ દીનવૃત્તિવાળા ન હોય. આથી સાધુ જ્યારે ભિક્ષા લેવા નીકળે અને જો જરૂરી આહાર મળે તો તે દિવસે સંયમવૃદ્ધિ સમજવી અને જો આહાર ન મળે તો તપોવૃદ્ધિ સમજવી. માળા - મનિન (7). (ચામડામાંથી બનેલ વસ્ત્રવિશેષ) મર્ણા - જિનમ (ઈ.) (આજિન નામક દ્વીપના અધિષ્ઠાયક દેવવિશેષ) મારું(ર) મોટ્ટ (1) - Yીનમfજન (ઈ.) (ફેકેલું અન્ન ખાનાર) સૂત્રકૃતાંગ સૂત્રમાં એક કથા આવે છે કે એક ભિખારી કેટલાક દિવસથી ઘરે ઘરે ભિક્ષા માટે ફરતો હતો. પરંતુ તેને કોઈ ભિખ 2220
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy