SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ अपक्कोसहिभक्खणया -- अपौषधिभक्षणता (स्त्री.) (અગ્નિ આદિ પર પકાવ્યા વિનાનું અન્ન ખાવું તે, શ્રાવકના સાતમા વ્રતનો પ્રથમ અતિચાર) ભગવાન આદિનાથના પિતા નાભિકુલકરના સમયમાં યુગલિકો અગ્નિ પર પકાવ્યા વિનાના અન્નકણ ખાતા હતા. તેમાં કારણ એ જ હતું કે, તે સમયમાં યાને તે યુગલિકકાળમાં તેઓને અગ્નિ આદિ પર પકાવવાનું જ્ઞાન નહોતું. ભગવાને તે જ્ઞાન આપ્યું હતું. પQWrite() - અપક્ષપ્રાદિન(ત્રિ). (પક્ષનો અનાગ્રહી, અપક્ષપાતી, શાસ્ત્રબાધિત પક્ષ ન ખેંચે તે) જેણે આત્માનુભવ કરી લીધો છે યાને જેને સમ્યક્તનો સ્પર્શ થઈ ગયો છે તેવા સમકિતદૃષ્ટિ જીવને શાસ્ત્રબાધિત કોઈપણ પક્ષ ન ગમે. તે એવા કુપનો અનાગ્રહી હોય. જે જીવો હજુ સુધી સત્યાસત્યના વિવેકથી રહિત છે તેવા અજ્ઞાનીજનો જ કદાગ્રહના પક્ષપાતી બનતા હોય છે. ૩પdi - અપાઈ (ત્રિ.) (નિર્દોષ, દોષ વિનાનું ૨.પાણીનું ફીણ) જેમ ચોવીશ કેરેટની ગુણવત્તાવાળા સોનામાં કોઈપણ પ્રકારની અશુદ્ધિ સંભવતી નથી, તેમ સો ટચના શુદ્ધાત્મદ્રવ્યમાં રાગ-દ્વેષાદિ કોઈપણ પ્રકારના દોષ સંભવતા નથી. સંયમધર્મ કે શ્રાવકધર્મની આરાધના આ શુદ્ધાત્મતત્ત્વને પામવા હેતુ બતાવેલાં છે. अपगंडसुक्क - अपगण्डशुक्ल (त्रि.) (જેમાંથી દોષ નીકળી ગયા હોય તેવું શુક્લ, નિર્દોષ અર્જુન સુવર્ણના જેવું શુક્લ, ચોખા પાણીના ફીણ જેવું સફેદ) સૂત્રકૃતાંગસૂત્રમાં અનુત્તર એવા શુક્લધ્યાનની વાત કરેલી છે. તે કેવું હોય તેની બાહ્ય ઉપમા દ્વારા સમજાવેલું છે કે, તે જેમ અર્જુન જાતિનું સુવર્ણ-પ્લેટીનમ કેવું નિર્મળ અને ચેતવર્ણીય હોય છે, તેના જેવું આ શુક્લધ્યાન અનુપમ કોટિનું વિશુદ્ધતમ હોય છે. પર - ૩પવા (પુ.). (અપકર્ષ, હીનતા, અભાવ) મોક્ષનું સ્વરૂપ સમજાવવું અત્યન્ત કઠિન છે છતાંય શાસ્ત્રકારોએ અનેક પ્રકારની યુક્તિઓથી તેને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તેમાં એક એવી યુક્તિ પણ કહી છે કે, બાહ્ય-અભ્યતર જે જે ભાવો આપણને જગતમાં અનુભવાય છે તે બધાનો જ્યાં સર્વથા અભાવ છે તે મોક્ષ છે. તથા પ્રકારના મોક્ષના સ્વરૂપને સમજવા માટે આપણને પ્રથમના ત્રણ કર્મોનો ઘણો ક્ષયોપશમ જોઈશે. અપ (m) 3 - અપ્રત્યક્ષ (a.). (અચાક્ષુષ, ચક્ષુનો વિષય ન બને તેવું, અપ્રત્યક્ષવર્તી બુદ્ધિ) અપ () વૈવજ્ઞાન - પ્રત્યાહ્યાન (ઈ.) (પચ્ચખાણ કે વિરતિના પરિણામનો અભાવ 2. અપ્રત્યાખ્યાનાવરણીય કષાય, દેશવિરતિના પરિણામને અટકાવનાર કષાય) ક્રોધ, માન, માયા, અને લોભ આ ચાર દુર્ગુણોનું ભેગું નામ છેકષાય ચતુષ્ક. તેના વળી એક એકના ચાર ચાર ભેદ છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાખ્યાનાવરણીય, અને સંજવલન. તેમાં અપ્રત્યાખ્યાનાવરણીય કષાયનો ઉદય જીવને શ્રાવકપણાના ધર્મથી વંચિત રાખે છે. તે જીવને દેશવિરતિ ધર્મનું જરાયે આસેવન કરવા દેતો નથી. વ્રત પચ્ચખાણના ઉલ્લાસને હણી દે છે. अप (प्प) च्चक्खाणकिरिया - अप्रत्याख्यानक्रिया (स्त्री.) (પચ્ચખ્ખાણ કે ત્યાગ ન કરવાથી લાગતો કર્મબંધ, અપચ્ચખાણ ક્રિયા) વિરતિધર શ્રાવક અને અવિરત શ્રાવકમાં જો ભેદ કરવો હોય તો આટલો જ થાય છે કે વિરતિધર શ્રાવકના જીવનમાં વ્રત, પચ્ચખાણનો આદર દેખાય, જયારે અવિરત શ્રાવકના જીવનમાં વ્રત કે પચ્ચખ્ખાણ નામની કોઈ ચીજ હોય નહીં. તેમાં દેખીતું કારણ કોઈપણ હોય પરંતુ, અદૃષ્ટ કારણ તરીકે અપ્રત્યાખ્યાનાવરણીય કષાયો જ રહેલા છે. પ (m) વિશ્વાળિ (M) - Huત્યાધ્યનિન (ત્રિ.) (પચ્ચખાણ કે ત્યાગ ન કરનાર, પચ્ચખાણરહિત) 430
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy