________________ જો મારી આ સાત શરતોનો સ્વીકાર કરો તો તમે મારા વામાંગી થઈ શકો છો. ત્યારે કન્યા કહે છે જો આપ પણ મારા નીચેના સાત વચનોનો સ્વીકાર કરો તો હું આપના સાત વચન સ્વીકારું છું. - કન્યાના સાત વચન :1. પર સ્ત્રી સાથે ક્રિીડા ન કરવી. 2. વેશ્યા સેવન કરવું નહિં. 3. જુગાર ખેલવો નહિં. 4. ન્યાય તથા ઉદ્યોગથી કમાયેલા ધનથી ભરણપોષણ વસ્ત્ર તથા આભૂષણ વડે મારું રક્ષણ કરવું પડશે. 5. શ્રી જિન મંદિર, તીર્થસ્થાન વગેરે ધર્મસ્થાને જતાં તથા ધર્મ કાર્યો કરતાં મને રોકશો નહિં. 6. મારાથી કોઈ વાત છાની રાખવી નહિં તથા મારી ગુપ્ત વાત કોઈને કહેવી નહિં. 7. અપરાધ વિના મને જીવન પર્યત તજી શકશો નહિં તથા અનુચિત કઠોર દંડ કરવો નહિં. વર કહે છે આ સાત વચનો હું કબુલ કરું , તું મારા ડાબા (વામ) ભાગમાં આવ. (જ્યારે વર કન્યા પરસ્પર પ્રતિજ્ઞાઓ કરી લે ત્યારે કન્યા વરના ડાબા ભાગમાં જઈ બેસે એ વખતે આચાર્ય વરવધૂ પર પુષ્પ વેરવાં. વરવધુ એક બીજાને પ્રેમોપહાર (માળા) પહેરાવે પછી વરને આગળ અને વધુને પાછળ રાખીને નીચેનો શ્લોક ભણી સાતમો ફેરો ફેરવી અર્થ આપવો.) નિર્વાણં પરમસ્થાન નિજભાષિતમુત્તમમ્, પૂજ્યેત્ સપ્તવર્ષાણિ સ્વર્ગ મોક્ષ સુખાકરમ્ 7. ઉૐ હ્રીં શ્રી નિર્વાણ પરમ સ્થાનાય અર્ધ નિર્વપામીતિ સ્વાહા. સજાતિ, સદ્ગૃહસ્થત્વ, પારિવાજયે સુરેન્દ્રતા, સામ્રાજ્ય પરમાઈન્ચે નિવાણું ચેતિ સપ્તકમ્ 8. 38 લીં શ્રી નિર્વાણ પરમ સ્થાનાય અર્ધ નિર્વપામીતિ સ્વાહા. (14) આરતી :યહ વિધિ મંગલ આરતી કીજે, પંચ પરમપદ ભજી સુખ લીજે, પ્રથમ આરતિ શ્રી જિનરાજા, ભવોદધિ પાર ઉતારે હાજી.. યહ 1