SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ * સાદાઈ : એક વાર તેઓ મુલુંડ (મુંબઈ) માં બિરાજમાન હતા. ત્યારે ઘાટકોપર સાંઘાણી એસ્ટેટના ટ્રસ્ટીઓ ચોમાસાની વિનંતિ કરવા આવ્યા. તેમણે મ. ધર્મગુપ્તવિજયજી મ. ને પૂછ્યું, “ચોમાસામાં આપને શેની શેની જરૂર પડશે ?' | મુ. ધર્મગુમવિજયજી મ. બોલ્યા, “એક રાખનો ડબ્બો અને એક ચૂનાનો ડબ્બો જોઈશે. તે સિવાય કંઈ નહીં.” ટ્રસ્ટીઓ આશ્ચર્ય પામ્યા. તેમને ત્યાં ચોમાસું ખૂબ સુંદર વીત્યું. સંઘમાં બધાને તેમના પ્રત્યે ખૂબ બહુમાન થયું. ટ્રસ્ટીઓ તેમની સાદાઈ અને નિઃસ્પૃહતા પર ઓવારી ગયા. સંઘ પર બોજો પડે એવા કોઈ અનુષ્ઠાનો વગેરે તેઓ કરાવતા નહીં. સંઘની ભાવના અને શક્તિ પ્રમાણે તેઓ સંઘને આરાધના કરાવતા. * શાસ્ત્રબહુમાન : આગમો વાંચતા વાંચતા તેમને આગમોના પદાર્થો પ્રત્યે ખૂબ અહોભાવ થતો. તેથી વાંચતા વાંચતા તેઓ ઊભા થઈને આગમોને ખમાસમણા આપતા. તેમનું આગમ-બહુમાન અદ્વિતીય હતું. * પ્રભુભક્તિ : તેમની પ્રભુભક્તિ પણ બેજોડ હતી. વિ.સં. 201617 ની સાલથી તેઓ પ્રભુભક્તિમાં જોડાઈ ગયા હતા. દરરોજ સવારે અને એટલે દરરોજ પાંચ કલાક તેઓ પ્રભુભક્તિમાં તરબોળ બની જતા. તેઓ પ્રભુભક્તિમાં અનેક વિશેષણો દ્વારા પ્રભુને વંદન કરતા, ચાર શરણ સ્વીકારતા, દુષ્કતોની ગહ કરતા, સુકૃતોની અનુમોદના કરતા. પ્રભુભક્તિની મસ્તી હંમેશા તેમના મુખકમલ પર તરવરતી. * સ્વાધ્યાયઃ પ્રભુભક્તિ સિવાયનો દિવસનો લગભગ 8 કલાક જેટલો સમય તેઓ શાસ્ત્રવચનમાં વીતાવતા. તેથી તેમની આત્મપરિણતિ હંમેશા નિર્મળ રહેતી. તેમને નકામી વાતો કે ચર્ચામાં રસ નહોતો. તેથી સમય મળે કે તરત તેઓ સ્વાધ્યાય કરવા બેસી જતા. * પુસ્તકલેખન : તેમણે સ્વજીવનમાં 85 પુસ્તકો લખ્યા હતા. સરળ પ્રવર્તક શ્રીધર્મગુપ્તવિજયજી મ.ની જીવનઝરમર * 45...
SR No.032875
Book TitleMandir
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherRamjibhai Veljibhai Gala
Publication Year2018
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy