SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ * વૈરાગ્યનું નિમિત્ત : કાંતિલાલના મોટા ભાઈ વિઠલભાઈએ લગ્ન કરેલા. લગ્નના એક વર્ષ પછી તેમના શરીરમાં માંદગી આવી. તેમણે ઉપચારો કર્યા, પણ નિષ્ફળ ગયા. તે અઠવાડિયામાં મૃત્યુ પામ્યા. તેમની યુવાન પત્ની કલ્પાંત કરે. ભાભીનો કલ્પાંત જોઈને કાંતિલાલે નક્કી કરેલું કે, “મારે લગ્ન કરવા જ નથી. આવા ભયંકર સંસારમાં મારે પડવું જ નથી.” નાનાભાઈની દીક્ષા : નાના ભાઈ મૂલચંદ ખૂબ ફેશનેબલ હતા. તેમને ફિલ્મી લાઈનમાં જવું હતું. કાંતિલાલે તેમને સમજાવી ચારિત્ર માર્ગે વાળ્યા. મુ.ભાનુવિજયજી મ. સુરત હતા. તેમણે કાંતિલાલને કહ્યું, “મૂલચંદને ભગાડીને રાણપુરમાં પૂ. પ્રેમસૂરિ મ.ના હાથે દીક્ષા અપાવ.” કાંતિલાલે તેમ કર્યું. દીક્ષા થઈ. મૂલચંદભાઈ મુ. ભદ્રગુપ્તવિજયજી મ. બન્યા. તેઓ મુ. ભાનુવિજયજી મ. ના શિષ્ય બન્યા. * દીક્ષા : ફવાનો વિરોધ મૂલચંદની દીક્ષા માટે વધુ હતો. તેથી તેને ભગાડીને દીક્ષા આપી. પછી સુરતમાં મુ.ભાનુવિજયજી મ.ની નિશ્રામાં કાંતિલાલની દીક્ષા થઈ. તેઓ મુ. ભાનુવિજયજી મ. ના શિષ્ય મુ. ધર્મગુપ્તવિજયજી મ. બન્યા. તેમની સાથે બીજા બે મુમુક્ષુઓની પણ દીક્ષા થઈ, જેમનું નામ મુ. ધર્મજિત્ વિજયજી મ. અને મુ. તત્ત્વાનંદવિજયજી મ. પડ્યું. તેમની દીક્ષા વિ.સં. ૨૦૦૭માં મહા સુદ 6 ના દિવસે થઈ. ત્યારે મુ. ધર્મગુતવિજયજી ની ઉમર 21 વર્ષની હતી. તેમની દીક્ષા માટે સંસારી સ્વજનોનો વિરોધ હતો. છતાં તેમણે મજબૂત બનીને દીક્ષા લીધી હતી. તેમની દીક્ષામાં તેમના કોઈ પણ સંસારી સ્વજનો આવ્યા ન હતા. - ત્યાગ H તેમની દીક્ષાની પૂર્વેના દિવસે દીક્ષાર્થીઓનો બહુમાન સમારંભ હતો. તે બહુમાનસમારંભની પહેલા મુ. ભાનુવિજયજી મહારાજે ત્રણે મુમુક્ષુઓને બોલાવ્યા અને પ્રેરણા કરી, “દીક્ષા લીધા પછી કોઈક વિશિષ્ટ સાધના કરવાનો અભિગ્રહ લો.” મુ. ભાનુવિજયજી મ.ની ટકોરથી તેમની ભાવનાઓ ઉલ્લસિત થઈ. મુ. ધર્મજિવિજયજી મહારાજે ત્યારે મુમુક્ષુઅવસ્થામાં પ્રવર્તક શ્રીધર્મગુપ્તવિજયજી મ.ની જીવનઝરમર ..41.*
SR No.032875
Book TitleMandir
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherRamjibhai Veljibhai Gala
Publication Year2018
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy