________________ 701 ધન્યકુમાર ચરિત્ર. છું. તે બધા મારે તે સેવા કરવા લાયક છે. ભક્તિને ઉચિત તે સર્વની સેવા કરીને કોઈ પણ પ્રકારે તેમને મારે પ્રસન્ન કરવા જોઈએ. તે હું યથાશક્તિ કરીશ, પરંતુ અત્યારે મને જેવાથી તેમને ઉલટી ઈર્ષાની વૃદ્ધિ થાય છે, તેમાં કોઈને દેષ નથી, માટે જ દેશ છે, કારણ કે મારા દર્શનથી તેઓની ઈર્ષ્યા પ્રબળ થાય છે, તેથી હાલ તે માટે અહીં રહેવું નહિ, હું જાઇશ તે તેઓ સુખેથી અત્રે રહેશે, કારણ કે કારણને નાશ થતાં કાર્ય નીપજશે નહિ, તેથી મારે અવશ્ય દેશાંતરમાં જ જવું એગ્ય છે. આ પ્રમાણે વિચારીને રાત્રે અરતિ અથવા તે દ્વેષ રહિત સહજ વૃત્તિથી મુનિની જેમ તેઓ ઘરમાંથી નીકળ્યા. તે વખતે તે મનમાં જરા પણ દુભાણું નહિ. “ભારી ભુજાથી ઉપાર્જન કરેલ ધન ભેગવતાં આ દુને મારા ઉપર ઈર્ષ્યા કરે છે. એવું એના ચિત્તમાં પણ આવ્યું નહિ. આવા સંતે કયાં હોય છે? પછી અનુક્રમે તે ઉજજયિનીમાં આવ્યા. ત્યાં સરેવરમાં રહેલ સ્તંભના વેષ્ટનની ચતુરાઈવડે મંત્રીપણું પામ્યા. પાછી તેવીજ સુખસંપત્તિ તથા લીલાલહેર મળી. કેટલેક કાળે માબાપ અને બંધુઓ દુષ્કર્મના ઉદયથી દીન અવસ્થાને અનુભવતા ભટકતાં ભટકતાં ત્યાં જ આવ્યા. ગેખમાં બેઠેલા ધન્યકુમારે તેમને દીઠા, દેખીને મનમાં બહુ ખેદાણ કે–અહે. આ મારા પૂજયે આવી દશા પામીને દુઃખ ભેગવે છે?” પછી સેવકો સાથે ઉતાવળા ઘરમાં બોલાવીને ઉભા થઈ પિતાના પિતા તથા વડીલ બંધુઓને પગે લાગ્યા. વિનયયુક્ત મિષ્ટ વચનેવડે તેમને સંતોષીને, સ્નાનાદિવડે ભક્તિ કરી પૂજાસ્થાને તેમને સ્થાપન કર્યા અને સર્વ ધનધાન્યાદિક તેમને આધીન કર્યા. પિતે સેવા કરનાર-પરિચર્યા કરનાર થઇને રહ્યા. આવું મહા આશ્ચર્ય કારી ચરિત્ર ધન્યનું જ હેય, બીજાનું છેવા સંભવ નથી. આવી