SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ રાજવાર્તા 69 અભયકુમાર એટલે બધું જ. એ શું છે ને શું નથી, એની જ કાઈ ચર્ચા કરી શકે તેમ નથી. અંતઃપુરની પણ એ જ સંભાળ રાખે છે.” “વાહરે વીર–ધીર! અંતઃપુરની સાચવણીનું સુંદર કામ સંભાળ્યું.” સાર્થવાહના આ શબ્દોમાં ઈર્ષા હતી. પોતાની જાતના અપમાનને ટંકાર હતા. ચૂપ રહે સાર્થવાહ! મગધમાં રહીને મહામાત્ય અભયકુમાર માટે એક શબ્દ પણ બોલીશ મા! એ શક્તિના સર્વસ્વરૂપની બુદ્ધિ પાસે કંઈ અશક્ય નથી. તું જાણતો નહિ હોય કે એકવાર પિતાની વિમાતા ધારિણીને દેહદ પૂરવા એણે પુર વસંતમાં વૈભાર પર્વત પર મુશળધાર વરસાદ વરસાવ્યો હતો. અસ્તુ. આપણી વાર્તા આગળ ચલાવીએ. રાજરાજેશ્વર બિઅિસારે સિંહાસન સ્વીકારી મગધની સત્તાને ખૂબ જ વધારી દીધી. એણે યુદ્ધો ઓછો ખેલ્યાં પણ વિશાળ પ્રદેશ પર કબજો કર્યો. દિવસો વીતતા ચાલ્યા એમ મગધ સમૃદ્ધ થતે ચાલ્યો. અને આજે રાજગૃહી એટલે આર્યાવર્તના મહાન સામ્રાજ્ય મગધની રાજધાની. મગધની ભૂમિ, મગધનો નાથ અને મગધની પ્રજા તે કઈ બડભાગી પ્રજા છે.” દેવદત્તાના શબ્દોમાં માતૃભૂમિનું અભિમાન ગાજતું હતું. ગણિકાના દિલમાં ય ધરતીમાતાની મમતા જાણે ઉત્સાહ પૂરતી હતી. “ભારતવર્ષની ત્રણ ત્રણ પ્રચંડ ધર્મ સંસ્કૃતિઓનાં અમી આજ એને આંગણે વહે જાય છે. વૈદિક, બૌદ્ધ ને જેન: એમ ત્રણ ત્રણ સંસ્કૃતિ માર્ગોને ત્રિભેટે મગધમાં રચાયો છે. ત્રણ ત્રણ ધર્મતના પ્રચંડ નદ આજ પુણ્યશાળી પ્રદેશમાં ત્રિવેણી સંગમ પામી રહ્યા છે. “પ્રથમ વૈદિક સંસ્કૃતિને પ્રકાશ વર્ષો સુધી આ પ્રદેશ પર પથરાઈ રહ્યા હતા. બ્રાહ્મણ, યજ્ઞયાગ ને વેદશાસ્ત્રની પૂજા સર્વત્ર ચાલતી હતી. કાળ વી અને એ પૂજાને અતિરેક થે. નિર્દોષ યજ્ઞયાગને
SR No.032850
Book TitleMaharshi Metaraj
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherSarabhai Nawab
Publication Year1941
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy