________________ 56 મહર્ષિ મેતારજ " જુવાનના મુખેથી દેવદત્તા પિતાનાં વખાણ સાંભળી રહી. આવાં વખાણું કે એણે ઘણીવાર સાંભળ્યાં હતાં, અલંકારિક શબ્દોના કથ્થા હવે એને ચતા પણ નહોતાઃ છતાં આ જુવાનના શબ્દો તેને પ્રિય લાગ્યા. આ શબ્દો પાછળ સ્વસ્થતાને ટંકાર હતો. એમાં કામની વિફળતા, મેહની વ્યાકુળતા કે વાસનાની મૂર્ખતા નહોતી. ઊગતી તરુણાવસ્થા, નિખાલસ પુરુષત્વ ને ચંચળ નયનોની શક્તિ દેવદત્તાને સહેજમાં આકર્ષી બેઠી. એને લાગ્યું કે આ સાર્થવાહ સાથે થોડીએક ઘડીઓ જરૂર વિતાવવા જેવી છે. - " “દાસી, તાંબૂલ લાવ !" કુશળ દાસી તાંબૂલથી મઘમઘતે થાળ લઈ આવી : યુવાને તાંબૂલ લઈ મેંમાં મૂક્યું અને કમર પરના પટામાં રહેલી સુવર્ણ મુદ્દાઓને એમાં ઢગલો કરી દીધે. દેવદત્તા સાર્થવાહના વર્તાવ પર મુગ્ધ થતી ચાલી. એને લાગ્યું કે આ સાર્થવાહ અવશ્ય ભેગી ભ્રમર છે, નહિ તો સુંદરીઓને વશ કરવાની આ રીતિથી તદ્દન અજ્ઞાત હોત. છતાં ય આશ્ચર્ય એ વાતનું હતું કે યુવાન તદ્દન સ્વસ્થ હતો. એની આંખો તદન મદ વગરની ચમકતી હતી, એના એકે અંગમાં કામદેવતાનો સંચાર થયાની ધ્રુજારી જેવાતી નહોતી. અજબ યુવાન ! પુરુષના સ્પર્શમુખ ને સહવાસ માટે તદ્દન નિર્મોહી ને ઉદાસીન બનેલ દેવદત્તાના દિલમાં જાણે વાસનાની ચિનગારી ફરીથી ઝબૂકી. જીવનની ભૂંડીભૂખ ને કેવળ દેહવ્યાપારના નીચ વ્યાપારમાં વીતેલી અનન્ત રાત્રિઓમાં આ રાત્રિ કેઈ નો સંદેશ લઈને આવેલી જણાઈ. “સાર્થવાહ, રાજગૃહીમાં કેટલી રાતને નિવાસ છે?” “વ્યાપારને અનુકૂળ જેટલા દિવસો મળે તેટલો! વ્યાપારીને