________________ અર્પણ [ 28 ] જલતી ભઠ્ઠી પર શેકતા માનવીથી ય વધુ ભયાનક વેદના ! ધરતીકંપના આંચકા ને લાવાને પ્રચંડ તાપ એમાં હતો ! જ્ઞાનતંતુએથી જ માનવી વેદના પીછાણે છે ને! એના પર જ અત્યાચાર ! આ વેદનાનું એકમાત્ર પરિણામ મૃત્યુ ! મૃત્યુ ! એક પિતાના આદર્શને અણિશુદ્ધ રાખવા પાછળ મૃત્યુ ! અરે ! મૃત્યુ આટલું પ્રિય બનીને ક્યારે આવે છે? આ તે જીવનસાફલ્યની સુંદર ઘડી. આજે તો જીવનના બધા સરવાળાબાદબાકી અહીં જ થઈ જવાના ! ધન્ય ઘડી ! મુનિરાજ ધીરે ધીરે વધતી જતી વેદનાને વિસરતા જતા હતા. એમની વિચારશ્રેણી અંદર ને અંદર ઊતરતી જતી હતી. તેઓને જ્ઞાતપુત્રે આપેલું એક દષ્ટાંત યાદ આવી રહ્યું હતું. - સાતપુત્રે કહેલું: “હે શિષ્યો, આ શરીર વિજ્ય ચોરની જેવું છે, ને આત્મા ધન્ય સાર્થવાહ સમે છે. તેની વાત નીચે પ્રમાણે છે. વિજય નામને એક ભયંકર ચોર હતો. એણે એકવાર ધન્ય