SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ મગધરાજને જામાતા 271 “હું અન્યાય કરું છું? જે મારાથી જાણેઅજાણે તમારે અપરાધ થતું હોય તે ચાલો ન્યાય કરાવીએ. મગધરાજ તે પક્ષપાત નહિ કરે ને?” “એ વાત ખરી !" વિરેાધી શકા જરા વિચારમાં પડી ગયા. ગઈકાલની બીના તેમની આંખ સામે જ હતી કે પૂરાવાના અભાવે વિચક્ષણ રહિણેયને રોહિણેય જાણ્યા છતાં મુક્ત કર્યો. શું જવાબ વાળવો એની મુંઝવણ બધાને સતાવી રહી. એક હોંશિયાર માણસે તેડ કાઢયો ને કહ્યું: કુમાર, મગધરાજ ન્યાય તે ભલે તેળવાના, પણ હું કહું છું કે જે ચારે વર્ણ એક આરે પાણી પીએ એમાં કોઈ જાતને એમને વાંધો ન હોય તે, શા માટે એક રાજકન્યા મેતારજને ન આપે !" “રાજકન્યા ને તે મેતારજને?” “શા માટે નહિ ? ક્યાં જેવા તેવા માણસને આપવાની છે? રાજા પહેલ કરે તે પ્રજામાં વિશ્વાસ આવે ને!” એ ન બને!” “તે પારકું ઘર કૃષ્ણાર્પણ કરે પુણ્ય ન થાય! કુમાર ! એ તે જળ ને સ્થળ જુદાં તે જુદાં !" મેતારજ આને જવાબ ન આપી શકો, પણ આ બે વર્ગો વચ્ચે મેળ કરાવવાની પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખો. છતાં શદ્રોની આ વાત ઘેરઘેર પ્રચલિત થઈ હતી. અને આ વાતને જેઓએ સાંભળી તેઓએ ઝીલીને પ્રચાર કરવા માંડ્યો. તિજે પણ હવે તે છડેચોક કહેવા લાગ્યા કે ખરે ધર્મપ્રચાર તો ઘેરથી જ શરૂ થાય. કાં તો સમાનતાની વાત બંધ થાય ને કાં તે કંઈ કરી બતાવવું જોઈએ.
SR No.032850
Book TitleMaharshi Metaraj
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherSarabhai Nawab
Publication Year1941
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy