________________ 10 મહર્ષિ મેતારજ - “બા, જરા બહાર આવશો કે” “તું અંદર આવને !" વિરૂપ દરવાજો ઓળંગી અંદર ઉદ્યાનમાં ગઈ વિરૂપાએ. ચારે તરફ એકવાર નજર નાખી લીધી. એ ધીમેથી બોલી: બા, મને કેવું સંતાન થશે ? રૂપાળું કે કદરૂપું!” માતા બનતી નારીના દિલમાં સ્વાભાવિક ઊઠે એવો આ પ્રશ્ન હતો. રૂપાળું ! સુરૂપા, જેતી નથી કે તારું લાવણ્ય કેવું છે? તારું સંતાન રૂપસુંદર થશે, સાથે ગુણસુંદર પણ હશે.” શેઠાણી પિતાની સખીના ગર્ભસ્થ સંતાનને આશીર્વાદ દેતાં હોય એમ બોલ્યાં. બા, કેવું રૂપાળું ! તમારા સંતાન ન્યું !" અરે, અમારાં સંતાન કરતાં ય સારું ! સુરૂપા, અમારા સંતા નનાં રૂપ–ગુણ તો અમારી કામવાસનાઓ ચૂસી લે છે, આ ભેગોપભેગા જ એમનાં દૈવત અર્ધ કરે છે.” શેઠાણીના શબ્દોમાં શ્રીમંત જીવનના એક અણજાણ્યા અનિષ્ટ પર ધનુષ્ય ટંકાર હતો. બા, ચિડાશો નહિ, કઈ ભૂલથી તમારા બાળકને મારી ગાદમાં મૂકી દે ને મારા બાળકને તમારી ગોદમાં મૂકે તે, મારું સંતાન તમારા સંતાન જેવું લાગે?” અરે, પાગલ થઈ ગઈ લાગે છે ? અત્યારથી સંતાન પાછળ આવી ઘેલી થઈ જઈશ, તો પછી તારું શું થશે? “બા, ઘેલી થઈ છું, કહો તે પાગલ થઈ છું. પણ જુઓ એક વાત કહું ! વિરૂપા વધુ નજીક ગઈ, ને ચારે તરફ કેઈ જેતું નથી,એની ખાતરી કરી ધીરેથી બોલીઃ “બા, આપનું બાળક મારું ને મારું તમારું ! જેવું હોય તેવું મોકલી આપજો ! બા, અવિનય લાગે તો માફ કરશો.”