________________ કેણું સાચું ? 245 મેડા પણ રહિણેયને પકડાયા સિવાય કયાં ય ટકે નહોતા. છૂટો પડેલો રોહિણેય વનને વધતે હવે જરા સમસ્થ ભૂમિ પર આવ્યો હતો. ધોમ ધખતો જ હતો. પગમાં અસહ્ય વેદના જાગતી જતી હતી. એણે ચારે તરફ દૂર દૂર જોયું. મહામંત્રી પાછળ રહી ગયા લાગ્યા, દુશ્મન લેખી શકાય તેવું કઈ ત્યાં ન દેખાયું. “હાશ !" કહીને રોહિણેય નીચે બેસવા લાગ્યો. ત્યાં એને કાને કોઈ મધુર અવાજ સંભળાયો. આકાશના પટ પરથી હવામાં લહેરીઓ લેતી કેટલીક જયગજનાઓ પણ સંભળાઈ " જ્ઞાતપુત્રનો જ્ય!” અરે, પેલા ઠગારા જ્ઞાતપુત્રની વાણુ! હત તારીની! આવે કવખતે આ અપશુકન કયાં થયાં? એણે તરત પિતાના કાન પર જોરથી હાથ દાબી દીધા. પગમાં અસહ્ય વેદના જાગી હતી. ઝનૂનપૂર્વક દડવામાં તે કંઈ ભાન નહોતું રહ્યું, પણ હવે જાણે એક ક્ષણમાં પગ થાંભલા જેવો થઈ ગયો હતો. છતાં ય કેમ થોભાય ? આ તો સિદ્ધાન્તનો સવાલ ! એણે કાયર થતા પિતાના દિલને મૂંગે ઠપકો આપ્યો. યાદ છે ને પૂજ્ય શિરછત્ર દાદાની એ મૃત્યુવેળાની આજ્ઞા? સ્મરણમાં છેને બધાની વતી પોતે લીધેલી પ્રતિજ્ઞા! અરેરે! એ જ્ઞાતપુત્રની વિરુદ્ધ કશું ય થઈ શક્યું નહિ! એના પરમ ઉપાસકેને પણ હું હાનિ પહોંચાડી શક્યો નહિ ! અને અત્યારે એક પગ ખાતર પ્રતિજ્ઞાન ભંગ કરું! પગ તૂટી પડે તે પણ શું? એણે કાન પર સખત રીતે હાથ દાબીને આગળ વધવા ઈચ્છયું, પણ એ હો આજે લાચાર બન્યો હતો. પગ જ ન ઊપડયો. ફરીથી એણે એ રીતે કાન પર હાથ રાખી આગળ વધવા પ્રયત્ન કર્યો, પણ શરીર પાસે મનને નમવું પડયું. વખત વીતતો