________________ 4 મહર્ષિ મેતારજ રસિક જનોને વાદળોના ધીમા ગડગડાટ પર સવાર થઈને કઈ પરી ટહૂકતી ચાલી જતી હોય એવી કલ્પના ઊગી આવતી. પણ કલ્પનાને ઉપભોગ પૂરે થાય તે પહેલાં વૈતાલિકાનાં ગાન આરંભાતાં, દેવાલયનો ગંભીર ઘંટારવ નિદ્રાની સાંકળને છિન્નભિન્ન કરી નાખતો, અને જરા મોડાં જાગેલાં પુરજનો ઉતાવળે નિત્યકર્મમાં પરોવાતાં. શની વીથિકાઓમાં અવર-જવર વધતો અને અચાનક એક મિઠે. અવાજ સંભળાતો. છેટાં રહેજે માબાપ !" પેલું ગીત બંધ થઈ જતું. ઘરઘર અવાજ વેગવાન બનતે. હતારીની ! અરે આ તે ચાંડાલણી વિરૂપા ! " કેટકેટલા રસિકજનોની ભાંગીને ભુક્કો થઈ ગયેલી મનોરમ કલ્પનાનો આમાં પડઘો પડતો હતે. એનો ધણી રાજાજીના બગીચાને રક્ષક અને આ ગાંડી આમ શેરીઓવાળી જીવન કાં ભરે ?" પાસેથી પસાર થતા પુરજનો વિરૂપાને ઈ મધપૂડે જોઈને માખીઓ ગણગણવા લાગે એમ કંઈ ને કંઈ ગણગણતા ચાલ્યા જતા. - “પેલો માતંગ જ એનો ધણી ને ! અલ્યા,એ તો પૂરો મંત્રવેત્તા છે. મંત્રવેત્તા ! આ રૂપાળીના દેહદ પૂરવા ઘેર બેઠા રાજાજીના બગીચાની કેરીઓ મંગાવત એ જબરો છે.” " મૂકને એ વાત ! પ્રભાતના પહેરમાં ચાંડાલની વાત ક્યાંથી કાઢી ?" ચાંડાલ થયા એટલે શું ? શું એ કંઈ માણસ નથી ?" “અલ્યા એ માણસવાળો છે કોણ? કોઈ શ્રમણને ચેલો લાગે છે!” અચાનક પાછળથી ક્રોધભર્યો ગરવ સંભળાય.