________________ રંગમાં ભં.' [17] મેતાર્યના કેટલાક દિવસો આ પછી ઊગ્ર મનોવ્યથામાં વીત્યા. પ્રેમ અને શૌર્યથી ભરપૂર લાગતી આ સંસારની સપાટીની નીચે પણ એક અજબ સ્ત્રોત વહેતે હોય છે, એની એને વિચારણું થવા લાગી. સંસારની શેરીઓમાં જે પ્રેમ છે, જે પ્રેમથી પિતા પુત્ર માટે મરે છે, ને પુત્ર પિતા માટે બલિ આપે છે, પત્ની પતિ માટે સતી થાય છે, ને પતિ પત્ની માટે આવતી ચિતામાં જલે છેઃ એ અવશ્ય પ્રેમ હશે, પણ એથી ય ઉંડાણમાં ઊતરીએ તો એ પ્રેમ પ્રેમ નથી લાગતો. મેતાર્યને લાગ્યું કે એ સ્વાર્થની કંઈ માયાજાળ છે, મમતાના ઉધામા છે. પેલો પ્રેમ તો નિર્ભુજ, નિર્દભ, નિર્મળ બની પોતાના પ્રેમપાત્રને વધાવે છે. એને ભાવીની આશા કે વર્તમાનની કંઈ શુભેચ્છા હેતી નથી. વિરૂપાએ એવો પ્રેમ ચરિતાર્થ કરી બતાવ્યો. એ પ્રેમમાં નબળાઈ નહતી, કીતિ લોભ કે અર્થ લભ નહતો. એણે પિતાની વાડી ઉજજડ બનાવીને ધનદત્ત વ્યવહારીઆની વેરાન વાડીમાં અમુલખ છોડ વાવ્યો હતો. આ ઓછું શૌર્ય નહોતું. શત્રુની લેહીપિપાસા