________________ 202 મહર્ષિ તારાજ એમ હવે ન બને!” “તે માતાની આજ્ઞા શિરસાવંઘ શાથી! મેતાર્ય, જા ચાલ્યો જા! માતાને દુઃખી કરીશ મા! માતંગ આવતું હશે. દેવશ્રી તારી રાહ જોતી હશે. એનું હૈયું ભાણું તે જન્મજન્મમાં પણ મારું કલ્યાણ ન થાય !" બીજાનું હૈયું સાબૂત રાખવા પિતાનું ભાંગવું?” હા બેટા ! ઘણીવાર પિતાનું ભાંગીને જ પારકાનું સાબુત રાખી શકાય છે. પ્રકૃતિને જ એ ક્રમ છે. જગત આખું એકબીજાના ત્યાગ પર નભે છે. પહાડ પિતાનાં વજ જેવાં હૈયાં ભેદીને જ શુભ્રસલિલા ગંગામાતાને માર્ગ આપે છે. આ ગંગામાતા પવિત્રતમ પૃથ્વીને રસવતી બનાવવા ઠેરઠેર વહેતી આખરે ખારા સાગરમાં સમાય છે. કોઈ કહેશે કે અરેરે! મીઠા જળને ખારા જળમાં ભેળવી દીધું, એવું ગાંડું તે બલિદાન કહેવાય ! કુમાર, તું તો ડાહ્યો છે. વિધાન છે. તું જાણે છે, કે એ બલિદાન જ ફરી વર્ષાનાં વાદળે લાવે છે. ખારા સાગરનાં પાણી ફરી મીઠાં બની બધે વરસી પડે છે.” મા, અભણ છતાં આટઆટલું મમંથન!” બેટા, એ મનોમંથન જ મારા જીવનનું સર્વસ્વ રહ્યું છે. એ વિના હવે જવાય તેમ નથી, પણ મેતાર્ય, ખબરદાર હવે મને મા કીધી છે તો ? ન તું પુત્ર ને ન હું માતા ! મારી સખીના જીવનને જે હાનિ પહોંચાડવા પ્રયત્ન કરીશ તે ભવોભવ તારું ને મારું ભલું નહિ થાય. મેતાર્ય, આજની આ મારી નબળી ક્ષણે માટે મને માફ કર !" “માઆવેલ શબ્દ અડધે ગળી જતો મેતાર્ય બોલ્યોઃ “કેણ માફ કરી શકે ? મગધની એક મેત–નારીના જેટલી સમર્પણની