________________ 192 મહર્ષિ મેતારજ મહામાત્યની નિષ્કામવૃત્તિના એ પૂરા પરિચિત હતા, પણ એ વૃત્તિ આટલી હદે આગળ વધી હશે, એનું એને ભાન નહોતું. મગધનું આટલું મહામૂલું સામ્રાજ્ય, છતાં શક્તિ-સામર્ચે કણ આ કીર્તિવંત પદને તજવા સ્વમ પણ સેવે ! મહામાત્ય મગધનાથ બને તો આજના લોકપ્રિય મગધનાથને પ્રજા ક્ષણમાત્રમાં ભૂલી જાય, એટલી તો એમની મોહિની હતી. અદ્ભુત ત્યાગ !" મેતાર્યથી એકાએક બેલી જવાયું, અને એ ઊંડા વિચારમાં ઊતરી પડ્યો. મહામાત્ય મેતાર્યની પ્રકૃતિ જાણતા હતા, ત્યાગની અત્યંત અભિરુચિ હોવા છતાં ભોગથી ન છટકી શકનાર આ જુવાનની વૃત્તિ તરફ તેમને અત્યંત માન હતું. તેઓએ જરા વધુ નજીક ઘડે લીધે ને કહ્યું મેતાર્ય, એ ત્યાગની વાત આજે મૂકે! તમને ખબર છે, કે મને બેચેન બનાવી રહેલ તે મારી રોહિણેયને પકડવાની પ્રતિજ્ઞા છે. દિવસો વીતતા ચાલ્યા છે, પણ કંઈ થઈ શક્યું નથી.” અભુત લૂંટારો!” પરગુણ–પ્રશંસાના સ્વભાવવાળા મિત્રાર્થે કહ્યું: “મહામાત્ય, જે કે એણે મગધની કીર્તિ સામે બાથ ભીડી એટલે મને શેષ છેબાકી સુંદર યુવાન છે. શૌર્ય સાથે સંસ્કારની સુંદર છાંટ પણ એનામાં છે.” પણ વારુ, મેતાર્ય! તમારાં તો લગ્ન લેવાયાં સાંભળ્યાં છે. દેશદેશની, અજોડ સૌંદર્યભરી સાત કુમારિકાઓ તમારી સાથે પાણિગ્રહણ કરશે. મગધનાથ વાત કરતા હતા, કે આ ઉત્સવ અત્યંત ભવ્ય થશે! જે જે મેતાર્ય, સાત સાત સૌંદર્યવતીને પામી બીજું બધું વિસરી ન જાઓ !" મહામાત્ય અભયે વાત બદલી.