________________ જ્ઞાતપુત્રને ચરણે 185 જ્ઞાતપુત્રની સ્તવના કરી. તમામ શિષ્ય પરિવાર, સમગ્ર સભાએ તેમાં સાથ પૂર્યો. ક્વીરાસને બેઠેલા ઈદ્રભૂતિ ગૌતમે પિતે સ્તવેલ “શિક્રસ્તવ” ને પ્રારંભ કર્યો. બીજા બધાએ તેમાં સાથ પૂરા. “નમુત્થણું અરિહંતાણું, ભગવંતાણું, આઈગરાણું, તિસ્થયરાણું, સયંસંબુદાણું. X પુરિસુત્તમાશું, પુરિસસીહાણું, પુરિસર–પુંડરીઆણું, પુરિવરગંધહસ્થીણું, લોગરમાણે, લોગનાહાણું, લોગહિઆણું, લાગપચવાણું, લોગપજેઅગરાણું. ધમ્મદયાણું, ધમ્મદેસયાણું, ધમ્મનાયગાણું, ધમ્મસારહીશું; ધમ્મરચારિત ચક્રવટ્ટીણું. * એક પ્રકારનું આસન. * નમસ્કાર હો પરમપુરુષને ! એ પરમપુરુષ કેવા છે, તેનું વિશેષ વર્ણન કરે છેઃ પુરુષ વિષે સિંહ સમાન, પુરુષ વિષે ઉત્તમ પુંડરિક કમળ સમાન, પુરુષ વિષે પ્રધાન ગંધહસ્તિ સમાન, તેમજ લોકને વિષે ઉત્તમ, લોકનાથ, લોકકલ્યાણકર્તા, જગતપ્રકાશક ને લોકમાં દીપક સમાન, ધર્મદ્રષ્ટા, ધર્મોપદેશક, ધર્મનાયક, ધર્મરથના સારથી, તેમજ સ્વર્ગ, નરક, મનુષ્ય ને તિર્યંચ ગતિને નાશ કરનાર, તેમજ રાગદ્વેષના જીતનાર ને જીતાડનાર, સંસારસમુદ્રને તરનારને તેમાંથી તરાવનાર, તવના જાણકાર ને જણાવનાર, કર્મથી સ્વયં મુક્ત ને બીજાને મુક્ત કરાવનાર, એવા સર્વજ્ઞ, સર્વદશી, કલ્યાણરૂપ, અચળ-નીરોગી-અનંત-અક્ષય-અવ્યાબાધ-અપુરાનગમન સ્થિતિને પ્રાપ્ત થયેલ, રાગદ્વેષને ક્ષય કરનાર એવા સર્વ ભયોના જિતનાર અરિહંતને નમસ્કાર હો !