________________ જ્ઞાતપુત્રને ચરણે 171 કેલ્લાક સંનિવેશના “વાદી ઘટમુગર”ની ઉપમાથી ખ્યાત વ્યક્ત ને સુધર્મા નામના બે પ્રકાડ પંડિત પિતાના વિશાળ શિષ્યપરિવાર સાથે અપાપા ભણી આવવા રવાના થયા. મૌર્ય સંનિવેશથી સાક્ષાત્ સરસ્વતીના અવતાર સ્વરૂપ મેડિકદેવ ને મૌર્યપુત્ર નામના વિદ્વાને સપરિવાર યજ્ઞમાં ભાગ લેવા આવ્યા. આ ઉપરાંત વિમલાપુરીથી અકંપિત, કેશલથી અલભ્રાતા, વત્સદેશથી તૈતર્ય ને ખુદ રાજગૃહીથી પ્રભાસદેવ નામના પ્રબલ પંડિતો અપાપામાં આવી પહોંચ્યા. બ્રહ્મચર્યના ઓજસથી ઓપતા, સુદીર્ઘ શિખા ને પવિત્ર યજ્ઞોપવિતથી પ્રભાવિત લાગતા આ બ્રહ્મદેવોની ચરણરજથી પૃથ્વી પણ પવિત્ર થઈ. તેમના જયજયકારથી અને પ્રબલ વેદઋચાઓનાં ગાનથી આકાશને ઘુમ્મટ પણ ગૂંજી ઊઠ્યો. યજ્ઞની મહાન તૈયારીઓ શરૂ કરવામાં આવી. સામવેદ ને અથર્વવેદના ગાનથી એનો પ્રારંભ થશે. યજ્ઞની ભડભડતી શિખાઓ વાતાવરણને આવરી લેવા લાગી. આર્યાવર્તના મહાન અગિયાર વિદ્વાને નક્ષત્રોની વચ્ચે સૂર્ય શોભે એમ શિષ્યસમૂહ વચ્ચે શોભી રહ્યા હતા. દર્શનાતુર લેકેની મેદનીને પાર નહતો. બૌદ્ધ અને જૈનધર્મને ગૌણ કરી નાખવાનો આ મહાન પ્રયાસ ખરેખર અભિનંદનીય હતે. એ અભિનંદનીય પ્રયાસને શોભાવવાને સત્કારવા રાજા–મહારાજાઓને મેટો સમૂહ, દેવાંગનાઓ સમાન રાણીઓ સાથે સપરિવાર આવી રહ્યો છે. એ સમાચાર સોમિલ વિપ્રને મળ્યા ત્યારે તેના આનંદની અવધિ ન રહી. એણે પિતાના અનર્ગળ દ્રવ્યવ્યયને સફળ લેખ્યો, પિતાના જીવનને ધન્ય લેખ્યું. આકાશને રેણુથી છોઈ દે, હાથી, રથને વાજીઓના સમૂહવાળે