________________ 168 મહર્ષિ મેતારજ પોતે અનાથી નામ ધારણ કર્યું. આ સંસ્કારી યુવાન જ્યારે સંસારની અસારતાનું ચિત્ર દેરતો ત્યારે ગમે તેવાનું દિલ પીગળી સુકોમળ કુમારને સંસાર છોડીને કષ્ટ સહન કરતા જોઈ મહારાજ શ્રેણિકે તેમના વિષે પૃચ્છા કરી. અનાથી મુનિએ સંસારની અનાથતાનું અપૂર્વ હદયંગમ ચિત્ર દેવું. મગધરાજને આ શબ્દએ ખૂબ જ અસર કરી. તેઓ વૈરાગ્યવાન શ્રમણના પૂજારી બન્યા. વાત આટલેથી ન અટકી. એક દહાડો મગધરાજે સ્વયં પ્રભુ મહાવીર સમક્ષ જઈ શિષ્યત્વ સ્વીકાર્યું, એમના તને આવકાર્યા ને સમ્યફ શ્રદ્ધાથી વંદન કર્યું. અમારિ પડહની યોજના કરી, હિંસક ય રાજઆજ્ઞાથી બંધ હતા તે વિશેષ રીતે બંધ કરાવ્યા. પણ આ બનાવે આખા મગધ પર અને સમસ્ત આર્યાવર્ત પર તેફાનના એક પ્રચંડ મોજાને પ્રસરાવી દીધું. વૈદિક ધર્મના ઉપાસકેની પ્રચંડ હાકથી પૃથ્વીને ખુણેખુણો ખળભળી ઊડ્યો, દશે દિશાઓ ગાજવા લાગી હદ થઈ, આ ધર્મલોપની! શદ્રોને ફટવ્યા, સ્ત્રીઓને માથે ચડાવી: વેદવિહિત યોને નામશેષ ક્યઃ ને હવે શું આ પાખંડીઓ એક આરે ઊંચનીચને બેસાડી પૃથ્વીને પાપના ભારથી લાદી દેશે? વૈદિક, જ્યાં છે ત્યાંથી એકવાર બહાર પડો! “ધર્મો રક્ષતિ રક્ષત:” ધર્મની રક્ષાને આ પ્રસંગ છે. શાસ્ત્રવચન છે, કે જે ધર્મની રક્ષા કરે છે, તેની ધર્મ રક્ષા કરે છે. ધર્મ આજે શ્રમણોએ ભયમાં મૂક્યો છે. માટે પ્રાણાર્પણથી પણ ધર્મની રક્ષા માટે કટિબદ્ધ બનો! આ પાખડીઓની પ્રબલ જાળમાં રાજા-મહારાજાઓ પણ ફસાતા જાય છે. કાશી ને કેશલના રાજાઓ એની મેહનીમાં આવી ગયા છે. વીતભયપદન ને કૌશાંબીના રાજા એ જાદુગરની જ આંખે