________________ હાથતાળી 159 હીરાજડિત પટે ને કીમતી ઉષ્ણુપ પહેરેલો પલ્લીવાસી એકદમ આગળ ધસી આવ્યો. એણે શસ્ત્ર નીચે નાખી દીધાં, ને બંને હાથ ઊંચા કરી શરણાગતી માગી. બહાદુરે, પકડો એ લૂંટારાને, અને તમામ લૂંટારાઓનાં શો કબજે કરી લે !" મર્દાનગીનાં પાણી માપી લે એવા યુદ્ધને આવો સુખદ અંત જોઈ મગધના સૈનિકો એકદમ ઉત્સાહમાં આવી ગયા. તેઓએ દોડીને હીરાજડિત પટા ને ઉsણષવાળા નાયકને પકડી લીધો. પલીવાસી થોદ્ધાઓએ તજેલાં તમામ શસ્ત્રો કબજે કરી લીધાં ને મહારાજ મગધરાજનો ને મહામાત્ય અભયો જયજયકાર બોલાવતા પાછા ફર્યા. સૈનિકે પણ ઉત્સાહમાં હતા, બંદીવાને પણ આનંદમાં હતા; પણ બંનેની ગતિમાં ભેદ હતે. સિનિકે બને તેટલી ઝડપથી આ ભયંકર પલ્લી વટાવી જવા ઈચ્છતા હતા ને બંદીવાને જાણે પિતાની પ્યારી ભૂમિ છોડવાની ઈચ્છા ન હોય એમ મહામહેનતે ઢસડાતા ઢસડાતા ચાલતા હતા. તમામ બંદીવાનોની આંખે વારે વારે એક જ દિશામાં ખેંચાતી હતી. અને તે પણ પેલું ભયંકર જાનવર ગયું તે દિશામાં. આમ ને આમ ડે પંથ કપાયે ત્યાં દૂર દૂર આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઊઠતા દેખાવા લાગ્યા. આકાશ કાળું સ્થાન બની રહ્યું હતું. આ જોઈને તમામ પલ્લીવાસી બંદીવાને ગેલમાં આવી ગયા ને જોરજોરથી ઘોષણા કરવા લાગ્યા. “જ્ય હો મહારાજ રેશહિણેયની.” તમામ સૈનિકે આ બૂમથી ચમકી ઊઠ્યા. તેઓએ બંદીવાનને