________________ પુણ્યપ્રવાસ 15 રહેલા બાકુળા જાણે કૌસાંબીની તમામ રસવતીને ફિક્કા પાડવા લાગ્યા. વિકધર્મના ઉપાસકે આટઆટલી અવમાનના કૌસાંબીને માથે શા માટે લાદી ! જગત જાણશે ત્યારે શું કહેશે ? કૌસાંબીના એક ઉજળા કુળમાં ભાવના ને ભક્તિના અંશ જ નહીં ! જ્ઞાતપુત્ર નીચી નજરે પુનઃ સ્વસ્થાન તરફ પાછા ફરતા હતા. સ્વિસ્થ પગલે ને સ્કુર્તિદાયી ચાલે ચાલતાં ચાલતાં એમણે બેએક વેળા ચારે બાજુ જોયું. દૃષ્ટિમાં કેવી સ્વસ્થતા! કેટલી મેહની, કેવું તપબળ ! કુમાર મેતાર્ય ભક્તિભાવ ભર્યા વદને એ પુરુષપુંગવને જતા નિહાળી રહ્યો. આજની એની સૃષ્ટિમાં જાણે લક્ષ્મી, દ્રવ્ય, સત્તા, ડહાપણ, વિદ્વતા, બધું ઓસરી ગયું હતું અને દિલમાંથી કેઈ અનાહત નાદ જગી રહ્યો હતો કે આ બધું બેટું, આ બધા મિથ્યાભાસ! દુન્યવી દષ્ટિ સિવાય એની કશી કિંમત નહીં ! મેતાર્યની દૃષ્ટિ, ધીરે ધીરે દષ્ટિપથની બહાર જતી એ મૂર્તિ પર વળગી રહી. પ્રકાશનું એક વર્તુલ આખા દેહની આસપાસ ધૂમી રહ્યું હતું, ને અલંકારહીન, વસ્ત્રહીન એ મૂર્તિ જાણે શરીરસૌષ્ઠવનો નમૂનો લાગતી હતી. અસ્થિ, ચર્મ, મજા, માંસમય એ દેહ હતું કે પ્રકાશન સાકાર દેહધારી પુંજ હતો એનો નિર્ણય કરવો એકાએક અશક્ય હતો. પાર્શ્વનાથ સંપ્રદાયના અનેક સાધુઓને પરિચય એ પામ્યો હતો. જ્ઞાતપુત્રના પૂજક ને પ્રશંસક શ્રમણોને પણ એ મળ્યો હતો. એમનાં તપ, ત્યાગ ને નિસ્પૃહતાથી એ પૂરે પરિચિત હતોઃ ઘણાના વ્યક્તિત્વથી એ અંજાયા હતા, કેટલાયને એણે પૂજ્યા, માન્યા ને સત્કાર્યા હતા પણ વગર પરિચયે કેવલ દર્શન માત્રથી માનવીની