________________ પુણ્યપ્રવાસ 139 પાછળ હડસેલાતે હતો. કૌશામ્બીના ધણી શતાનિકને રાજમહેલ અત્યારે અલૌકિક વૈભમાં દીપી રહ્યો હતો. સહુ ઝરૂખે બેસી માર્ગ પર કંઈ નિરખી રહ્યાં હતાં. થોડીવારમાં એક ઘમઘમતો રથ આવીને દ્વાર પર ઊભો રહ્યો. દાસદાસીઓનું વૃંદ એકદમ રાણીજીના ખંડમાં ધસી આવ્યું. બા સાહેબ ! એ મેગી તો કંઈ લેતે નથી! કંઈ બોલતે પણ નથી ! કંઈ આપવા માગીએ તે યે હાથ લાંબો કરતે નથી!” દાસીઓએ મઘમઘતા મિષ્ટાન્નના થાળે નિરાશામાં નીચે પડતા મૂકતાં કહ્યું કેવો અજબ ગી!” રાજવધૂઓએ કંઈક મૂંઝવણમાં સુકમળ હાથે ગાલીચા પર પછાડ્યા. હીરાજડિત કંકણ ઘડીભર વાતાવરણમાં સંગીત પેદા કરી રહ્યાં. બા! એનું પેટ જોયું ! પીઠ અને પાંસળીઓ જાણે એક થઈ ગઈ! બા સાહેબ ! એને ભોજન લીધા કાલે પાંચ પાંચ માસ ને પચીસ પચીસ દિવસ થશે !" એક દાસીએ ઉમેર્યું. પણ દાસી ! એનાં નયનમાં કેવું મીઠું ઘેન છે ! અહા ! હજાર હજાર સૂર્ય પણ ઝંખવાય, એવી જ્યોત એમાં ભરી છે. હું તે એને જોઉં છું ને આ મહેલ, આ અંલકારે, આ સાહ્યબી, બધું ભૂલી જાઉં છું. કેવી શાન્ત પ્રકૃત્તિઃ પણ કેવી હઠ !" રાણીના ગૌર ગાલ પર એક આંસુ ભરાઈ રહ્યું. “કેવો મૂંગે એ યોગી !" રાજા શતાનિકે ધીરેથી બધાની વાતને અનુમોદન આપ્યું. “જાણે વિધાતાએ જબાન જ ન દીધી હેય ! હું એનું મુખ જોઉં છું ને બકુલ પુષ્પની કુમાશને પણ ભૂલી જાઉં છું. પ્રભાતના સૂરજ શું એનું લલાટ વિસારીએ તે યે વિસરતું નથી. યુદ્ધની વાત