SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ મગધનાં મહારને 119 ને આ તે બે કે ગઈ ! " આખું ટોળું ખૂબ મેટેથી હસી પડ્યું ને આ ખુશ થવા જેવા સમાચારથી બધા જાણે ઘેલા બની ગયા, તેમ ભાતભાતની ચર્ચાઓ કરતા હસવા લાગ્યા. અરે, આ હસવા જેવો પ્રસંગ છે?” દૂરથી કાઈનો ગંભીર અવાજ સંભળાયો. એક મોટો લશ્કરી અમલદાર લોહી ખરડાયેલાં વસ્ત્રો સાથે ધસ્યો આવતો હતો. હસનારાંઓનાં મેં એકદમ શીવાઈ ગયાં. એ તે મગધનો જાણ સંદેશવાહક દેવસૂનુ હતો. એ જોરશોરથી કહેતો હતે. " મહારાજની આજ્ઞા છે, કે કોઈ એ મંગળગીત ન ગાવાં. આ આસોપાલવ, આ રંગોળીઓ, આ કુંકુમઅક્ષતના થાળો બધું હટાવી લો ! દિવસે અબીલગુલાલ ઉડાડવાની કે રાત્રે દીપમાળા પ્રગટાવવાની પણ આજ્ઞા નથી.” નકકી કંઈ અશુભ થયું.” લોકેનાં ટોળેટોળાં આ આજ્ઞા ઉપર વિધવિધ જાતની ચર્ચા ચલાવવા લાગ્યાં. દેવસૂનુને ઉપયોગ જવલ્લે જ થતો. એ જે સંદેશ લઈને આવે એ ગંભીર જ હોય એવી પ્રજાની ધારણા હતી. કેટલાક માણસો દેવસૂનુની પાછળ પાછળ ચાલ્યા. અધિકારી રાજમહેલ તરફ નહોતે જ, પણ મગધને મહારથિક, સામંતો અને સરદારના આવાસ તરફ જતો હતો. એની પાછળ પાછળ ઘેડું અંતર રાખીને લેકનું મોટું ટોળું પણ ચાલ્યું. દેવસૂનુ મગધના મહાન યોદ્ધા અને વિશ્વાસુ અંગરક્ષક નાગ રથિકને ઘેર જઈ ઊભો રહ્યો. દરવાજા ઉપરની દાસી દ્વારા અંદર પ્રવેશવાની એણે અનુજ્ઞા માગી. થોડીવારમાં ખુદ નાગ રથિક પોતે બહાર આવ્યા. અવસ્થા તે
SR No.032850
Book TitleMaharshi Metaraj
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherSarabhai Nawab
Publication Year1941
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy