________________ 104 મહષિ મેતારજ ઘરમાં ભયંકર રીતે ઘવાયેલા બે પુરુષોના ખાટલા પડ્યા હતા. અને એ બે પુરુષોમાં ય એક એને જીવનસાથી પતિ માતંગ હતું, બીજે એને જીવન સર્વસ્વસમે પુત્ર હતા. વિરૂપા ઘાયલ એવા આ પુરુષોને પામીને જાણે મગ્ન થઈ હતી. કંઈક સૂનો સૂનો લાગતો એને સંસાર આજે ભરાઈ ગયો હતો. એ ઘેલી સ્ત્રીને જાણે હવે કંઈ જોઈતું જ નહોતું. આખો દિવસ ને સંપૂર્ણ રાત! એ સેવાસુશ્રષામાં પડી જ રહેતી. એને ઉજાગરા થતા નહિ, કઠિન શ્રમ શરીરને આરામ લેવા પ્રેરતે નહિ ને જાણે ભૂખયાસ તો કદી હતી જ નહિ! ઘડીકમાં માતંગને કપાળે શીતળ જળનાં પોતાં મૂકતી તો ક્ષણવારમાં મેતાર્યના ઘાની વેદનાથી તપ્ત થયેલા લલાટને પંપાળતી. એકને ઔષધ આપીને ન પરવારતી ત્યાં બીજાની પાટાપીંડીમાં પડતી. ધનદત્ત શેઠનાં અનેક દાસદાસીઓ ત્યાં પડયો બોલ ઝીલવા તૈયાર હતાં, શેઠ ને શેઠાણું પિતે અધ અર્ધા થઈ જતાં; પણ સેવાસુશ્રષા તો વિરૂપા પિોતે જ કરતી. એને કઈ પર વિશ્વાસ ન આવત. કોઈ ભૂલેચુકે પાટો બાંધી દેતું તો એ તરત છેડી નાખી પુનઃ બાંધતી. ઔષધ કઈ ઘૂંટતું તોય તેને સંતોષ ન થતો. કંઈ કંઈ વાંધા કાઢી પોતે જ તૈયાર કરવા બેસતી. આખા નગરમાં લૂંટારાઓની ચર્ચા સાથે મેતના ઘરમાં રહેલ મેતાર્ય માટે પણ રસભરી ચર્ચાઓ ચાલી રહી હતી. ઘણાને આ વાત વધારે પડતી ભાસતી; પણ મેતાર્યનું પરાક્રમ, માતંગની વિક્રમશીલતા અને વૈદ્યના અભિપ્રાયથી-સહુ મનેકમને પણ અપવાદધર્મ લેખી શાન્ત થતાં. ધનદત્ત શ્રેષિ મેતાર્યને જરા આસાયેશ મળતાં ઘેર લઈ જવા અત્યંત ઉત્સુક હતા, પણ વૈદ્યને અભિપ્રાય ન મળતાં એ ચંપાઈને બેઠા હતા. એક દિવસમાં તે મેતેને વાસ અનેક ઉચ્ચ કુળોની આવ