________________ કીતિને કાંચન 91 કૂબાઓ એવાં છોકરાંઓથી તે ઊભરાય છે. ઘણી ય માતાઓ ઈચ્છે છે, કે ઈશ્વર આ જંજાળ ઓછી કરે, પણ જ્યારે ઈશ્વર એ જંજાળને વધારતા જ રહે છે, ત્યારે માતાઓ પોતે એ કામ હાથ ધરે છે. બાળકોને મારે છે, ઢીબે છે, ભૂખ્યાં રાખે છે; છતાંય એ ચોમાસાંના અળશિયાની જેમ વધે જ જાય છે. દરિદ્રકુળમાં તે સંતાનની ન રહેવાની, પછી તારે ત્યાં અછત કેમ! વિરૂપા ! તારે ભૂલી જવું જોઈએ, તારે માની લેવું જોઈએ કે તારે પુત્ર હતું જ નહિ, તને પુત્ર અવતર્યો જ નહોતે. કદાચ અવતર્યો હતો તે અવતરીને મરી ગયો હતો ! મરી ગયો હતો ! " આ શબ્દએ એના મનને અચાનક ધક્કો માર્યો. કોઈ એના દિલમાં ચૂંટી ખણીને કહેતું લાગ્યું : “તું કેમનું અશુભ ચિંતવી રહી છે? તારા જ સંતાનનું!' હા, હા, અરે પણ મારે તે બાળક જ ક્યાં જ હતો કે એ મરી ગયો એવું કહું ! ખમા મારા લાલ ! વિરૂપા એકદમ સાવધ થઈ ગઈ. આ વિચારોને દૂર કરવા એણે મેં પર થોડું ઠંડું પાણી છાંટયું અને પાસે જ વિયાયેલી કૂતરીના ગલૂડિયાને લઈ પંપાળવા લાગી. પણ ગલૂડિયાને રમાડતાં તો એની વેદના વધી ગઈએણે ગલુડિયાંને બાજુમાં પટક્યું ને કામમાં મન પરોવવા માતંગનાં વસ્ત્રો લઈ લેવા બેઠી. ઘોતી દેતી પાછું એ પિતાના મનને અનુરૂપ ભજન છેડી બેઠી. “ધબીડા તું છે જે મનનું ધોતિયું રે, રખે રાખતે મેલ લગાર રે ! એણે રે મેલે જગ મેલે કર્યો , અણધાયું જ રાખ લગાર રે !