________________ આદર્શ મુનિ. , પ્રકરણ 18 મું. સંવત 1964: મદાર. જાહેર વ્યાખ્યાન 2 આપણા ચરિત્રનાયક રતલામથી વિહાર કરી લૈલાના તેની પધાર્યા. ત્યાં તેમને લોકોએ વિનંતિ કરી કે આપ જે રાત્રે વ્યાખ્યાન કરશે તે અમને સઘળાને સહજ માંજ આપને સાંભળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. આ વિનંતિનો સ્વીકાર કરી તેમણે તેજ રાત્રે વ્યાખ્યાન આપ્યું, અને પ્રાતઃકાળે ત્યાંથી વિહાર કરી જાવરા થઈ મન્દસર પધાર્યા. સંવત ૧૯૬૪ના ચાતુર્માસ પણ ત્યાં જ કર્યો અને ખુબ ધર્મ વૃદ્ધિ થઈ. આ ચાતુર્માસમાં વીશા ઓશવાલ નંદલાલજીને દીક્ષા આપવામાં આવી. અત્રેના ચાતુર્માસ શાતિપૂર્વક સમાપ્ત થયે.