SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ 120 > આદર્શ મુનિ. પ્રકરણ ૧૬મું. સંવત ૧૯૬ર કાનેડ - સાત પ્રકૃતિ. ચાતુર્માસમાં ત્યાં દયાપિષધ તથા સ્કંધ આદિ - પુષ્કળ થયાં. રાત્રે અન્ય ઉપદેશ સાથે મહારાજકે શ્રીએ રૂકિમણીઆખ્યાન કહી સંભળાવ્યું. એક દિવસ ઠાકોરજીને રથ એ રસ્તે થઈને નીકળ્યા, ત્યારે કે તેને અટકાવવા લાગ્યા. ત્યારે મહારાજશ્રીએ કહ્યું ભાઈઓ, ઝગડે ના કરે, આ જાહેર રસ્તા છે. પરંતુ લોકોને ખોટું ઝનુન આવી ગયું અને ફરીથી પણ રથને રેયા. આથી મહારાજશ્રીએ ઉપદેશ આપ બંધ કર્યો. આ ઉપરથી પ્રત્યક્ષ પ્રમાણ મળે છે કે તેમની પ્રકૃતિ કેટલી શાન્ત હેવી જોઈએ. તેમની શાન્ત પ્રકૃતિને પ્રમાણભૂત અનેક ઉદાહરણે તેમને જીવનમાંથી મળી આવે છે. કાનડના ચાતુર્માસ પછી વિહાર કરી ધર્મ પ્રચાર કરતાં કરતાં તેઓ જાવરા પધાર્યા. ત્યાં જતાં રસ્તામાં આવતાં સઘળાં સ્થાને ઉપર ખુબ ઉપકાર થયો. સ્કન્ય ચાર પ્રકારના થાય છે જેમકે (1) પહેલે સ્કન્ધ રાત્રિભોજનન કરવું. (2) બીજે સ્કન્ધ-શાકભાજી વિગેરે લીલોતરીને ત્યાગ, (3) ત્રીજો સ્કન્ધ-કાચા જળને ત્યાગ (4) ચોથો સ્કન્ધ-બ્રહ્મચર્યવ્રત પાળવું.
SR No.032846
Book TitleAdarsh Muni
Original Sutra AuthorN/A
AuthorPyarchand Maharaj, Chandulal Mohanlal Modi
PublisherJainoday Pustak Prakashan Samiti
Publication Year1932
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy