________________ કુરચા ઉરાડતાં શી વાર? શાને સંકેચ? - પેલે શિવકુમાર હવે પસ્તાય છે કે “હાય! કયાં ઢગલે ધનના લેભમાં પડી ?" પણ ત્યાં જ મરતા પિતાનું વચન યાદ આવ્યું કે “આપત્તિ આવે તે નવકાર યાદ કરજે.' એટલે તરત એણે મનમાં નવકારમંત્ર ગણવા માંડે. એવા અવસરે નવકાર કેવા દિલથી યાદ કરાય ? શુષ્ક કેરાધાકોર દિલથી? કે ગદ્ગદ્ ભીનાભી દિલથી? રાબેતા મુજબ નવકાર ગણાય? કે ભરપૂર શ્રદ્ધાભર્યા દિલથી ગણાય? ગળામાંથી નવકાર નિકળે ? કે નાભિમાંથી નવકાર નીકળે ? કહે, મરણાના કષ્ટના અવસરે નવકાર ગગદ અને શ્રદ્ધાભર્યા દિલથી ગણાય, અને એકમાત્ર શરણ માનીને ગણાય. મનને એમ થાય કે નમસ્કાર મહામંત્ર! તું જ મારે એક આધાર છે. જગતની કોઈ વસ્તુ મને બચાવે એમ નથી, તું જે બચાવનાર, તું જ તારણહાર, તું જ મારે શરણભૂત છે.” આ રીતે નવકાર ગણાય એને પ્રભાવ સામાન્ય સમજતા નહિ. એને ચમત્કારિક મહા પ્રભાવ છે ! દિવસમાં કયારે એકવાર પણ આ રીતે 5-10 નવકાર પણ ગણે છે? અસલ તે આજના કપરા કાળે રેજ સવારે ઊઠીને પહેલું કામ