SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ રક્તનાં ચર્મચક્ષુથી દર્શન કર્યા હોય, એવું જાણવા મળ્યું નથી. લોહી જોતાં જ આશ્ચર્ય અને ઊહાપોહ બન્નેની ધારાઓ તેના મનમાં પ્રવર્ધમાન થવા (વધવા) માંડી, ત્યાં તો ભગવંતની અસીમ મહાકરુણાના અમૃત નિયંદ રૂપ (અમૃતનાં ઝરણારૂપ) “લુફ્સ ! બુ ! ચંદોનિયાં !' એ શબ્દોએ કર્ણમાર્ગ દ્વારા તેના હૃદયમાં પ્રવેશ કર્યો અને પછી શું થયું, તે તો જગજાહેર છે જ. અભિધાન ચિંતામણિમાં અહીં ક્ષીરઘારાઘવનં પદનો પ્રયોગ છે. ધારા શબ્દ અહીં મહત્ત્વ છે. ગાયના સ્તનમાંથી દૂધની ધારા નીકળતી હોય તે વખતની તેની ધવલતા અહીં ઇષ્ટ છે. તે વખતે તેમાં લેશ પણ મલિનતા હોતી નથી, પણ તે દૂધને પાત્ર (વાસણ)નો સંયોગ થતાં જ તેની નિર્મળતાના ટકા ઘટવા લાગે છે. વળી ગાયનું દૂધ તો અહીં ઉપમાન માત્ર છે. બાકી ખરી રીતે તો ગાયના દૂધની ધારા કરતાં ભગવંતનાં રક્તમાંસ અનંતગુફા અધિક ધવલતાદિ ગુણોથી સમૃદ્ધ હોય છે. શરીરની ધાતુઓમાં જેની ગણના થાય છે, એવાં રક્ત-માંસ પણ જો ભગવંતના શરીરનાં સર્વ જીવો કરતાં વિલક્ષણ હોય, તો પછી ભગવંતની બધી જ વસ્તુઓ સર્વ જીવો કરતાં વિલક્ષણ અને શ્રેષ્ઠ હોય એમાં શું આશ્ચર્ય છે ! ચતુર્થ સહજાતિશય આહાર અને નીહારની ક્રિયા અદૃશ્ય. મદરનીદારવિધિસ્વર: આહાર એટલે ખાવું-પીવું, નીહાર એટલે મલ અને મૂત્રનો ત્યાગ અને વિધિ એટલે ક્રિયા. તે અદશ્ય એટલે ચર્મચક્ષુથી ન જોઈ શકાય તેવી હોય છે. તે તીર્થકર ભગવંતની આહાર અને નીહારની ક્રિયા ચર્મચક્ષુથી અદશ્ય હોય છે. અવધિજ્ઞાનરૂપ ચક્ષુવાળાને (અવધિજ્ઞાની દેવતા કે મનુષ્યને) તે અદશ્ય હોતી નથી. શ્રી સમવાયાંગમાં કહ્યું છે કે : पच्छन्ने आहारनीहारे अदिस्से मंसचक्खुणा / 1. હે ચંડકૌશિક ! પ્રતિભા પામ ! પ્રતિબોધ પામ ! અચિ. ક. 1, ક્ષો, 58. 2. સૂત્ર-૩૪. 3. સરખાવો - आहारा नीहारा अदिस्सा मंसचखुणो सययं / - આહાર અને નીહાર માંસચમુવાળાને સતત અદશ્ય હોય છે. - શ્રી ઋષિભાષિત સૂત્ર 86 અરિહંતના અતિશયો
SR No.032832
Book TitleArihantna Atishayo
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherSangmarg Prakashan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy