SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ જગતના સાચા સ્વામી આવા ઐશ્વર્યવાળા આ એક જ છે.” પ્રાતિહાર્યો પણ એક જાતના અતિશયો જ છે, તેથી અતિશય શબ્દના પૂર્વે કરેલ બધા જ અર્થો અહીં લાગુ પડે છે. તેથી અશોક વૃક્ષ વગેરે પ્રત્યેક પ્રાતિહાર્ય સુંદરતા વગેરે ગુણોથી યુક્ત કોઈ પણ ઉત્તમ વૃક્ષ વગેરે કરતાં અનંતગુણ અધિક ઉત્તમ હોય છે, દરેક પ્રાતિહાર્યને આ હકીકત લાગુ પડે છે. ઇન્દ્રનાં પોતાનાં ઉદ્યાનોમાં પણ આવું સુંદર વૃક્ષ હોતું નથી. બીજું, આ વસ્તુઓ દેવતાઓ બનાવે છે. છતાં પણ બને છે ભગવંતના પ્રભાવથી. બધા જ દેવતાઓ મળીને ભગવંતની હાજરી વિના પોતાની સર્વ શક્તિ વડે એક સુંદર અશોક વૃક્ષ બનાવે તો પણ તે એક જ દેવતાએ ભગવંતના અતિશય તરીકે બનાવેલ અશોક વૃક્ષ કરતાં શોભા વગેરેમાં અનંત ગુણહીન હોય, કારણ કે આ અશોક વૃક્ષ તે ભગવંતનો અતિશય છે. આ રીતે અતિશય પદના બધા જ અર્થોની ઘટના પૂર્વે બતાવેલ રીતે કરી લેવી. લલિત વિસ્તરામાં માવંતા પદની વ્યાખ્યામાં કહ્યું છે કે - समग्नं चैश्वर्यं भक्तिनम्रतया त्रिदशपतिभि: शुभानुबन्धिमहाप्रातिहार्यकरणलक्षणम् / ભગવંતનું સમગ્ર ઐશ્વર્ય એટલે ભક્તિથી અતિનમ્ર બનેલા દેવેન્દ્રો વડે શુભાનુબંધી એવા આઠ પ્રાતિહાર્યોની રચના. અહીં શુભાનુબંધી શબ્દ બહુ જ મહત્ત્વનો છે. શુભાનુબંધી એટલે પુણ્યાનુબંધી. દેવેન્દ્રો તો આ પ્રાતિહાર્ય-રચના કરીને ઉત્તરોત્તર અવિચ્છિન્ન ધારાવાળું પુણ્યાનુબંધિ પુણ્ય ઉપાર્જે જ છે, પણ જે કોઈ આ પ્રાતિહાર્યોના આદરભાવ અને અહોભાવપૂર્વક દર્શન કરે તે બધા જ ભવ્ય જીવો ઉત્તરોત્તર અવિચ્છિન્ન ધારાવાળું ઉત્તમ પુણ્યાનુબંધિ પુણ્ય ઉપાર્જે છે. ઐશ્વર્ય તો ઇન્દ્ર વગેરે પાસે પણ હોય છે, પણ તે ઐશ્વર્ય જીવોનાં હૃદયમાં ધર્મ ઉત્પન્ન ન કરી શકે, જ્યારે ભગવંતનું આ પ્રાતિહાર્ય-ઐશ્વર્ય જીવોનાં હૃદયમાં ધર્મોત્પત્તિનું પ્રધાન સાધન છે. લલિતવિસ્તરામાં મજાવંતા પદની અવતરણિકામાં કહ્યું છે કે - एते चार्हन्तो नामाद्यनेकभेदा: 'नाम स्थापनाद्रव्यभावतस्तत्र्यासः' (तत्त्वार्थ. अ. 1 सू. 5) इति वचनात् तत्र भावोपकारकत्वेन भावार्हत्संपत् परिग्रहार्थमाह - 'भगवद्भ्य' इति / 1. સર્વેડપિ પ્રતિદીતિશવિશેષ: | - વી. સ. પ્ર. 5, શ્લોક-૯, અવ. 2. લ. વિસ્ત, પૃ. 17. 3. ‘શુભાનુબંધિ'નો અર્થ પુણ્યાનુબંધિ ઉપરાંત “શુભસંસ્કારાનુબંધિ' પણ લઈ શકાય, કેમ કે 8 પ્રાતિહાર્યના દર્શન, પ્રશંસા-સ્તુતિ સ્મરણ આદિ કરનાર જીવ એવા શુભ સંસ્કાર પણ ઊભા કરે છે કે જે એને ભાવિમાં વિશેષ શુભ ભાવો આપે. 4. લ. વિ. પૃ. 16. 68 અરિહંતના અતિશયો
SR No.032832
Book TitleArihantna Atishayo
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherSangmarg Prakashan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy