________________ એ માટે એ જ પરમતારક સૂરીશ્વરજીના શિષ્યરત્ન વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજયગુણયશસૂરીશ્વરજી મહારાજના વિનયરત્ન પ્રવચન પ્રભાવક પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજયકીર્તિયશસૂરીશ્વરજી મહારાજને વિનંતી કરતાં ઘણી જ વ્યસ્તતા હોવા છતાં અત્યંત ટૂંક સમયમાં સમગ્ર પુસ્તકનું નવસંસ્કરણ કરી આપી અમારા પર મહાન ઉપકાર કર્યો છે. સૌ કોઈ આ ગ્રંથના વિધિવત્ ચિંતન-મનન-શ્રવણ દ્વારા અરિહંતના અતિશાયી સામ્રાજ્યના જ્ઞાતા બની અંતે પરમાત્મતત્ત્વના સ્વામી બનો એ જ અભિલાષા. -સન્માર્ગ પ્રકાશન @ @ @ @