________________ 39. નમો શિબિકામાં વિરાજમાન અરિહંતોને 40. નમો અશોક આદિ વૃક્ષોથી શોભતા ઉપવનમાં આવેલા અરિહંતોને 41. નમો ઇન્દ્ર સ્થાપેલ સિંહાસન પર વિરાજમાન અરિહંતોને 42. નમો શ્રેષ્ઠ કડાં, કુંડલ, હાર, અર્ધહાર, મુકુટ અને માળાને નિજ શરીર પરથી ઉતારતા અરિહંતને 43. નમો કાજળ જેવા અતિ શ્યામ વાળોનો પંચમુષ્ટિ લોચ કરતા અરિહંતોને 45. નમો સર્વ સાવદ્ય યોગોના પચ્ચખાણ કરતા અરિહંતોને 46. નમો જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નમાલાથી અલંકૃત અરિહંતોને 47. નમો સમુત્પન્ન નિર્મલ વિપુલમતિ મન:પર્યય જ્ઞાનવાળા અરિહંતોને 48. નમો સમિતિ-ગુપ્તિરૂપ“ શ્રેષ્ઠ ગુણોથી અલંકૃત અરિહંતોને 49. નમો દશવિધ શ્રમણધર્મને સંપૂર્ણ રીતે પાળતા અરિહંતોને 50. નમો કમળપત્રની જેમ નિર્લેપ અરિહંતોને 51. નમો જીવની જેમ અપ્રતિઘાતી શ્રેષ્ઠ વિહાર કરતા અરિહંતોને પર. નમો આકાશની જેમ નિરાશ્રયતા ગુણથી શોભતા અરિહંતોને 53. નમો અસ્મલિત પવનની જેમ અપ્રતિબદ્ધ અરિહંતોને 1. હાથ વડે વાળ ઉખેડી કાઢવાની વિશિષ્ટ ક્રિયા 2. સિદ્ધશિલા નામના લોકમાંના સર્વોપરિ સ્થાનને 3. મુક્તાત્માઓને પાપવ્યાપારના 5. મહાન પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ 6. આ ત્રણ મળીને સંપૂર્ણ મોક્ષ સાધન થાય છે. 7. મનના ભાવોને જાણનારું જ્ઞાન 8. ઇર્ષા સમિતિ આદિ પાંચ સમિતિ અને મનોગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિ 9-10. કર્મરૂપ પ્રતિબંધ-અટકાવ દૂર થતાં જ જેમ સંસારથી મુક્ત જીવ એક જ સમયમાં અપ્રતિઘાતી-અસ્મલિત ગતિએ સિદ્ધશિલાએ પહોંચી જાય છે તેમ ભગવંતને પ્રતિબંધરાગદ્વેષ ન હોવાથી તેઓ અપ્રતિબદ્ધ વિહારી હોય છે. 28 અરિહંતના અતિયો