SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત વરસાવે છે કે - “શુદ્ધ પરિણામને કારણે, ચારનાં શરણ ઘરે ચિત રે, પ્રથમ તિહાં શરણ અરિહંતનું, જેહ જગદીશ જગ-મિત્ત રે.” ચે. 4 જે સમવસરણમાં રાજતા, ભાંજતા ભવિક સંદેહ રે, ધર્મના વચન વરસે સદા, પુષ્પરાવર્ત જિમ મેહ રે. 2. 5 આ પદોમાં “પુષ્પરાવર્ત' શબ્દનો પ્રયોગ છે. ‘નરાવજી પુરાવર્તો... !' એ પ્રસિદ્ધ પદમાં પણ પ્રયોગ છે. તેનો અર્થ એ છે કે શ્રી શાંતિનાથ તીર્થકર ભગવાન સર્વ પુણ્યરૂપ વેલડીઓને સિંચવા માટે પુષ્પરાવર્ત મેઘ છે. મહાકવિ કાલિદાસ “મેઘદૂતમાં ગાય છે કે - 'जातं वंशे भुवनविदिते पुष्करावर्तकानाम् / ' જે મેઘને ઉદ્દેશીને આ કાવ્ય સ્ફર્યું છે તે મેઘ વિશ્વવિખ્યાત પુષ્પરાવર્ત મેઘોના વંશમાં ઉત્પન્ન થયેલ મેઘ છે. | 1 શ્રી સ્થાનાંગ સૂત્ર વગેરેમાં પણ આ મેઘનો ઉલ્લેખ છે ત્યાં કહ્યું છે કે પુષ્પરાવર્ત મેઘની એક જ વૃષ્ટિથી પૃથ્વી (જમીન) સુસ્નિગ્ધ, રસભાવિત અને દસ હજાર વર્ષો સુધી ધાન્ય ઉપજાવવાને યોગ્ય થાય છે. લોકપ્રકાશ સર્ગ-૩૦માં કહ્યું છે કે - પ્રથમ સ્થાનક અહેવાત્સલ્યમાં નામ આદિ ચારે પ્રકારના અરિહંત લેવા અને વાત્સલ્ય એટલે - (1) ભક્તિરાગ, (2) અરિહંતના વાસ્તવિક ગુણોનું લોકમાં પ્રખ્યાપન (સવિશેષ કીર્તન) અને (3) ઉચિત ઉપચાર (ઉપચાર = દ્રવ્યપૂજા અને ભાવપૂજા) આ રીતે વાત્સલ્ય ત્રિવિધ અર્થને પ્રસ્તુત કરે છે. તેમાં ભક્તિરાગ અંતરંગ વસ્તુ છે. ગુણપ્રખ્યાપન લોકની સાથે સંબંધ ધરાવે છે, તે લોકના હૃદયમાં ભક્તિરાગ જન્માવે છે અને ઉચિત ઉપચારનો સંબંધ, મન, વચન અને કાયાની સાથે છે. વચન અને મનથી ભાવપૂજા કરવાની હોય છે અને 1. ચેતન જ્ઞાન અજુવાળીએ 2. પુનાવા મહામે જેમાં વાસે રસ વાસદસારું ભાવેતિ 1 (સ્થા.-૪, સૂત્ર-૪.) 3. આ જ વિષયનું વર્ણન લોકપ્રકાશના ર૯મા સર્ગમાં છે. અરિહંતના અતિશયો
SR No.032832
Book TitleArihantna Atishayo
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherSangmarg Prakashan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy