________________ પૂર્તિ ચાર મૂલાતિશયોનું વર્ણન: (1) શ્રી મલ્લિષણસૂરિની સ્યાદ્વાદ મંજરીના પ્રારંભમાં છે. (2) શ્રી રત્નશેખરસૂરિ રચિત શ્રાદ્ધવિધિની પ્રારંભમાં છે. 34 અતિશયોનું વર્ણન: (1) પ્રદ્યુમ્નસૂરિ કૃત વિચારસારમાં છે. (2) ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત સુપાર્થ જિનસ્તવનમાં છે. (3) ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કૃત પંચપરમેષ્ઠિ ગીતામાં છે. (4) શ્રી શોભન મુનિ રચિત સ્તુતિ ચતુર્વિશતિકામાં છે. (5) ત્રિષષ્ઠિશલાકા પુરુષ ચરિત્રના અંગ્રેજી અનુવાદમાં છે. (અનુવાદક ડૉ. મિસ હેલન જોન્સન, વોલ્યુમ-૧, પેજ-૫૬). આઠ પ્રાતિહાર્યોનું વર્ણન: (1) જૈન સ્તોત્ર સંદોહ ભાગ-૧. પૃ. ૨૩/૨૪માં સ્તવન રૂપે છે. (2) શ્રી જિનપ્રભસૂરિના પાર્શ્વનાથ પ્રાતિહાર્ય સ્તવનમાં છે. (3) શ્રી જિનસુંદરસૂરિ કૃત સીમંધર સ્વામિ-સ્તવન (ગ્લો. ૨-૯)માં છે. (4) શ્રી જિનપ્રભ સૂરિ કૃત વિરપંચકલ્યાણક સ્તવન (શ્લો. ૧૯-૨૬)માં છે. (5) શ્રી જ્ઞાનસાગર સૂરિ કૃત પાર્શ્વ જિનસ્તવ (શ્લો. ૭/૧૪)માં છે. (6) શ્રી સહજમંડનગણિ કૃત સીમંધરસ્વામિ સ્તોત્ર (૭/૧૪)માં છે. (7) મુનિ શ્રી ધુરંધરવિજયજી કૃત શ્રી ભટેવા પાર્શ્વનાથ ચિત્રસ્તોત્રમાં છે. વાણીના 35 ગુણોનું વર્ણન : સ્તવન રૂપે જૈન સ્તોત્ર સંદોહ ભા. ૧માં પણતી જિણવાણી-ગુણથવણમાં છે. અરિહંતના અતિશયો 275