SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ઉંચા મનોહર અશોક વૃક્ષની રચના કરી. તે પછી ત્રિભુવનના સ્વામીપણાના ચિહ્નરૂપ ચંદ્રની શ્રેણી માફક ઉજ્જવલ અને સ્ફટિકમય ત્રણ છત્રની રચના કરી. બન્ને બાજુ શક્રેન્દ્ર અને ઇશાનેન્દ્ર બે ચામર ઢાળવા લાગ્યા, ઉત્કૃષ્ટ સિંહનાદ થવા લાગ્યો અને દિવ્યપુષ્પોની વૃષ્ટિ થઈ. એ વખતે ધર્મનાથ તીર્થકર ભગવંત દવનિર્મિત સુવર્ણ કમળો ઉપર પગ સ્થાપન કરતાં કરતાં કિલ્લાના પૂર્વારમાંથી પ્રવેશ કર્યો. તે પછી દેવતાઓ વડે ખવાતા ભગવંત ચૈત્યવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા આપી. ભગવંત પૂર્વાભિમુખ બેઠા. ત્રણ દિશામાં પ્રભુના રૂપ જેવાં ત્રણ રૂપ પ્રભુના પ્રભાવે બની ગયાં. પર્ષદા ત્યાર પછી ગણધરો પ્રભુને નમન કરી એમની જમણી બાજુ બેઠા. તેમની પાછળ કેવળીઓ અને બાફીના સાધુઓ સમવસરણની પર્ષદામાં બેઠા. પછી વૈમાનિક દેવી, સાધ્વી અને બીજા બેટાં. કોઈ જગ્યા પર વૈમાનિક દેવો, કોઈ જગ્યા પર ભવનપતિ દેવા, કોઈ જગ્યા પર જ્યોતિષ દેવો અને કોઈ જગ્યા પર વ્યંતર દેવો હતા. કોઈ જગ્યા પર વ્યંતર દેવીઓ, કોઈ જગ્યા પર જ્યોતિષ દેવીઓ, કોઈ જગ્યા પર નગર લોકો અને કોઈ જગ્યા પર રાજા અને ઇન્દ્રો હતા. જન્મથી પરસ્પર વેરવિરોધવાળાં સર્વ પ્રાણીઓ કિલ્લાની અંદર વૈર વિરોધ છોડીને નિર્ભયપણે બેઠાં હતાં. આ પ્રમાણે ધર્મનાથ ભગવાનના સમવસરામાં એક યોજન સુધી નિયંત્રણ રહિત, વિકથા વગરનાં, વરમુક્ત અને ભય રહિત સર્વે બેઠાં હતાં. પછી ભગવાન યોજનગામિની વાણીથી “નમો તિત્વસ' એવું ગંભીર અને મધુર વચન બોલ્યા. ભગવંત આટલું બોલ્યા ત્યાં તો સુરેન્દ્રો, અસુરેન્દ્રા વગરેએ હસ્તકમલની અંજલીની શોભા સાથે જિનેન્દ્રને નમસ્કાર કર્યા. સર્વે સંજ્ઞી પંચન્દ્રિય જીવોને વિશે પ્રભુની એક જ ભાષા દરેકને પોતપોતાની ભાષામાં પરિણમે છે. નાળિયા વગેરે પણ પ્રભુના ઉપદેશમાં વિકલ્પ કે શંકારહિત બની જાય છે. 1-2-3-4 આ બધાં કારસમૂહનાં વિશેષણો છે. અરિહંતના અતિશયો ર૪ 3
SR No.032832
Book TitleArihantna Atishayo
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherSangmarg Prakashan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy