________________ પરિશિષ્ટ-૧૨ શ્રી યતિવૃષભાચાર્ય વિરચિત तिलोयपण्णत्ती ચતુર્થ મહાધિકાર, ગાથા-૮૯૫૯૨૮. તિલોયપણી (34 અતિશયો) જન્મથી જ સાથે રહેનારા 10 અતિશયો : 1. સ્વેદ રહિતતા 2. નિર્મલ શરીરતા 3. દૂધ જેવું ધવલ રુધિર 4. વજ ઋષભનારા સંહનન 5. સમચતુરસસંસ્થાન 6. અનુપમ રૂપ 7. નૃપચંપકસમાન ઉત્તમ ગંધનું ધારણ 8. એક હજાર આઠ લક્ષણો 9. અનંત બલ-વીર્ય 10. હિત, મિત અને મધુર ભાષણ ઘાતિકર્મના ક્ષયથી ઉત્પન્ન થતા અને કેવલજ્ઞાન પછી પ્રગટ થતા 11 અતિશયો : 1. પોતાની પાસેથી ચારે દિશાઓમાં સો યોજન સુધી સુભિક્ષતા 2. આકાશગમન 3. હિંસાનો અભાવ 4. ભોજનનો અભાવ 5. ઉપસર્ગનો અભાવ 6. સર્વ તરફ મુખ કરીને સ્થિત હોવું 1. આ ગ્રંથ લોકપ્રકાશ જેવો સંગ્રહ ગ્રંથ છે. દિગંબર જૈન સંપ્રદાયને માન્ય અતિશયો અને પ્રાતિહાર્યોનું નિરૂપણ આ ગ્રંથમાં જે રીતે છે, તે રીતે અહીં ગુજરાતીમાં આપેલ છે. 238 અરિહંતના અતિશયો