SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ બાકીની ત્રણ દિશામાં ભગવંતના પ્રભાવથી ભગવંત જેવાં જ ત્રણ રૂપ દેવતાઓ વિકુર્વે છે. તે રચવાનો હેતુ એ છે કે સર્વ દિશાઓમાં બેઠેલા દેવો વગેરેને પ્રભુ પોતે જ અમારી સામે બેસીને અમને ઉપદેશ આપે છે, એવો વિશ્વાસ આવે. 9. જ્યાં જ્યાં પ્રભુ સ્થિતિ કરે છે તે તે સ્થળે ભગવંતની ઉપર દેવતાઓ અશોક વૃક્ષ રચે છે. તે અશોક વૃક્ષ ઋષભસ્વામીથી આરંભીને શ્રી પાર્શ્વનાથ સ્વામી સુધી ચોવીસ તીર્થકરો ઉપર તેમના પોતાના શરીરના માનથી બારગુણો ઊંચો રચવામાં આવે છે અને મહાવીર સ્વામી ઉપર બત્રીસ ધનુષ ઊંચો રચવામાં આવે છે. કહ્યું છે કે -- उसभस्स तिन्नि गाउ य, बत्तीस धणुणि वद्धमाणस्स / सेसजिणाणमसोओ, सरीरओ बारसगुणो / / 1 / / ઋષભસ્વામી ઉપર ત્રણ ગાઉ ઊંચો અશોક વૃક્ષ હોય છે, વદ્ધમાન મહાવીર) સ્વામી ઉપર બત્રીસ ધન ઊંચો હોય છે અને બાકીના જિનેશ્વરો ઉપર તેમના શરીરથી બારગુણો ઊંચી હોય છે. અહીં કોઈ શંકા કરે કે - “આવશ્યક ચૂર્ણિમાં શ્રી મહાવીર સ્વામીના સમવસરણના પ્રસ્તાવમાં કહ્યું છે કે - સો વરાયવં નિશ્ચરાગ વારસા સંવો વિડવ્રુતિ' - ઇન્દ્ર જિનેશ્વરની ઊંચાઈથી બારગુણો ઊંચો અશોક નામનો શ્રેષ્ઠ વૃક્ષ વિક્ર્લો; ને અહીં ત બત્રીશ ધનુષ ઊંચો કહ્યો, તે કેમ સંભવે ?' આ પ્રશ્નનો ઉત્તર એ છે કે - “આવશ્યક ચૂર્ણિમાં જે બારગણું ઊંચાઈનું પ્રમાણ કહ્યું છે તે કેવલ અશોક વૃક્ષનું કહ્યું છે અને અહીં જે બત્રીશ ધનુષનું માન કહ્યું છે તે સાલવૃક્ષ સહિત અશોક વૃક્ષનું પ્રમાણ કહ્યું છે. અહીં પણ અશોક વૃક્ષ તો બારગણો જ સમજવો. અટલે મહાવીર સ્વામીનું શરીર ઊંચાઈમાં સાત હાથ છે. તેને બારગણું કરવાથી ચોરાશી હાથ એટલે એકવીસ ધનુષ ઊંચો અશોક વૃક્ષ અને તેના ઉપર અગિયાર ધનુષ ઊંચો સાલવૃક્ષ હોવાથી બન્ને મળીને બત્રીસ ધનુષનું માન સમજવું. આ પ્રમાણે પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં કહેલું છે. 10. જ્યાં જ્યાં તીર્થકર વિચરે ત્યાં ત્યાં કાંટાઓ અધોમુખ થઈ જાય છે, એટલે માર્ગમાં રહેલા કાંટાઓની અણીઓ નીચી થઈ જાય છે. 11. જ્યાં જ્યાં ભગવંત ચાલે છે ત્યાં ત્યાં વૃક્ષો ભગવાનને પ્રણામ કરતાં હોય તેમ નીચાં નમે છે. 12. ભગવાન લીલા સહિત જે સ્થળે વિચરે છે, ત્યાં આકાશમાં દેવદુંદુભિ વાગ્યા કરે છે. 13. ભગવંત જ્યાં વિચરે ત્યાં સંવર્તક જાતિનો વાયુ એક યોજન પ્રમાણ પૃથ્વીને શુદ્ધ અરિહંતના અતિશયો 237
SR No.032832
Book TitleArihantna Atishayo
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherSangmarg Prakashan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy