SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ 5. સિંહાસન રત્નોથી ખચિત અને પાદપીઠથી સહિત એવા સુવર્ણ-સિંહાસન ઉપર શ્રી જિનેશ્વર ભગવંત વિરાજમાન થાય છે. વિહાર વખતે એ સિંહાસન ભગવંતની આગળ ઉપર આકાશમાં ચાલે છે. 6. ત્રણ છત્ર ઉજ્વલ મોતીઓથી શોભતા એવા ઉપર ઉપર રહેલ ત્રણ છત્ર જગતને વંદનીય એવા ભગવંતની ઉપર શોભે છે. વિહાર વખતે ભગવંત ઉપર રહીને એ ત્રણ છત્ર ભગવંતની સાથે સાથે ચાલે છે. જગતને વંદનીય શ્રી ભગવંત ઉપર રહેવાનો લાભ પોતાને મળ્યો છે, તેથી જ જાણે પોતાની ગ્રીવા એ છત્રોએ ઉપર ન કરી હોય, એમ કવિઓ ઉક્ષા કરે છે. 7. ભામંડલ ભામંડલ ભગવંતના મસ્તકની પાછળ દીપી રહ્યું છે, જાણે રોજના નિયત અવયંભાવી અસ્તથી કદર્થનાને પામેલ સૂર્યમંડલ ભગવંતના શરણે ન આવ્યું હોય ! 8. દુંદુભિ ‘હે લોકો ! શ્રી જિનેશ્વર ભગવંત વિદ્યમાન છે, તો કર્મજન્ય કષ્ટો ક્યાંથી હોઈ શકે !! એમ જાણે કહેતી હોય તેમ દુંદુભિ ભગવંતની આગળ ઉપર આકાશમાં ગાજે છે. આ રીતે (1) અશોક વૃક્ષ, (૨)પુષ્પરાશિ, (3) ઉત્તમ ધ્વનિ,(૪) ચામર,(૫) આસન, (6) છત્ર, (7) ભામંડલ અને (8) ભેરી, એમ પ્રાતિહાર્ય-અષ્ટક છે. 34 અતિશયો સ્વભાવથી જ ઉપકારી અને ચોત્રીશ અતિશયોથી સહિત એવા શ્રી તીર્થકર ભગવંતો સૂર્યની જેમ જગતને દીપાવે છે. તે અતિશયો આ રીતે છે : અહીં “અભિધાન ચિંતામણિ' ગત ચોત્રીશ અતિશયોના વર્ણનનું અવતરણ ટાંકેલ છે, તે પછી કહ્યું છે કે - "શ્રી સમવાયાંગ સૂત્રમાં કેટલાક અતિશયો બીજી રીતે વર્ણવ્યા છે તે મતાંતર જાણવું. ચાર અતિશય (1) પૂજા, (2) જ્ઞાન, (3) વચન અને (4) અપાયાપરામ નામના ચાર બીજા મહાન અદ્ભુત અતિશયો તે વિશ્લોપકારી ભગવંતોને હોય છે. 1. પૃ. 314. 2. પૃ. 314 શ્લો. 9798. 224 અરિહંતના અતિશયો
SR No.032832
Book TitleArihantna Atishayo
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherSangmarg Prakashan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy