________________ બાજુનાં વૃક્ષો નમે છે અને માર્ગમાંના કાંટાઓ નીચી અણીવાળા થઈ જાય છે. 33. અત્યંત લાલકુંપળોવાળો વિકસિત પુષ્પોની સુગંધથી સમૃદ્ધ અને પોતાનાં પુષ્પો પર કીડા કરતા) ભમરાઓના ગુંજારવ વડે જાણે ભગવંતની સ્તુતિ ન કરતો હોય તેવો અશોક વૃક્ષ ભગવંત ઉપર શોભે છે. 34. ભગવંતના શત્રુ કામદેવને સહાય કરવાના અપરાધનું જાણે પ્રાયશ્ચિત્ત લેવા માટે આવી હોય તેમ, તે વખતે ભગવંતની સમુપાસના કરવા માટે છએ ઋતુઓ એક જ કાળે ઉપસ્થિત થઈ છે. ૩પ. ભગવંતની આગળ આકાશમાં ઊંચેથી નિનાદ કરતો દુંદુભિ (પોતાના નિનાદ વડે) વિસ્તરી રહ્યો છે. જાણે ભગવંત સાર્થવાહના ભવ્ય જીવોના સાર્થના નિર્વાણપુરી તરફના તરત થનારા પ્રયાણની મંગલ ઉદ્યોષણ ન કરતો હોય ! 36. પાંચે ય ઇન્દ્રિયાર્થી ભગવંતની સમીપમાં ક્ષણવારમાં મનોજ્ઞ થઈ જાય છે, મોટાઓની સમીપમાં કોણ ગુણોત્કર્ષને પામતું નથી ? 37. વધવાના સ્વભાવવાળા નખ અને રોમ પણ (ભગવંતના) વધતા નથી, જાણે તેઓ (નખ અને રોમ) સેંકડો ભવોમાં સંચિત કરેલા કર્મનો ભગવંતે કરેલ છેદ જોઈને ભયભીત ન થઈ ગયા હોય ! 38. ભગવંતની સમીપમાં દેવતાઓ સુગંધી જલની વર્ષાઓ વડે રજ (ધૂળ)ને શાંત કરે છે અને ભૂમિને વિકસિત પુષ્પોની વૃષ્ટિઓ વડે સંપૂર્ણ રીતે સુગંધિત કરે છે. 39. ગંગા નદીના ત્રણ પ્રવાહોને મંડલાકાર બનાવી ભગવંત ઉપર ધારણ કર્યા હોય તેમ દેવેન્દ્રો પવિત્ર એવા ત્રણ છત્ર ભગવંત ઉપર ધારણ કરે છે.' 40. ‘આ એક જ અમારા સ્વામી છે', એમ કહેવા માટે દેવેન્દ્ર જાણે પોતાનો અંગુલી-દંડ (એક તર્જની) ઊંચો કર્યો ન હોય, તેમ ભગવંતની આગળ રધ્વજ શોભી રહ્યો છે. 41. ભગવંતની આગળ શારદાદાના ચંદ્રમાનાં કિરણ જેવા મનોહર ચામરો વીંઝાઈ રહ્યા છે, જાણે ભગવંતના મુખકમળની પર્પપાસનામાં રાજહંસો સમુપસ્થિત થયા ન હોય ! 42. સમવસરાના વિરાજમાન ભગવંતના ત્રણ ઊંચા મનોહર ગઢ, વિશષે કરીને શોભી રહ્યા છે, જાણે શરીરધારી (સાક્ષાતુ) સમ્ય-ચારિત્ર-જ્ઞાન-દર્શન ન હોય ! 43. ચારે દિશામાં રહેલા લોકો પર એકી સાથે અનુગ્રહ કરવાની જાણે કામનાવાળા 1. શંકરે પોતાના મસ્તક ઉપર ગંગા નદીનો એક જ પ્રવાહ ધારણ કર્યો હતો, જ્યારે આ ભગવંત જ ખરા શંકર સુખ કરનારા) છે. એ બતાવવા માટે દેવેન્દ્રોએ ભગવંત પર ત્રણ ગંગા પ્રવાહ ન ધાર ય હાય 226 અરિહંતના અંતિશયો