SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાણીઓ વડે એકીટશે જોવાતા આપને સગી આંખે નીહાળ્યા હોય ! નાથ ! દેવતાઓ ભલે આવી કલ્યાણી ભક્તિ કરે, પણ એ બધુ પ્રભાવ તો આપનો જ ને ? એક યોજના સુધી વ્યવસ્થિત રીતે સ્વસ્તિક, શ્રીવત્સાદિ અનેક વિરચનાઓમાં વરસેલાં તે સર્વ પુષ્પો પણ ધન્ય છે કે જેને આપના ભક્તોનાં ચરણોનો સ્પર્શ મળ્યો ! તૃતીય મહાપ્રાતિહાર્ય : દિવ્યધ્વનિ | "હે સર્વાતિશાયિ વચનના સ્વામિન્ ! સ્વાભાવિક સૌભાગ્યથી ઉત્પન્ન થતી, શ્રોતાજનોના કર્ણમાં પેસતી અમૃતની નીક સમાન અને શ્રમ વિના પ્રવર્તતી વાણી વડે જ્યારે સમવસરણમાં ભવ્યજનોના કલ્યાણ માટે આપ ધર્મદેશના આપો છો, ત્યારે ભક્તિથી નિર્ભર હૃદયવાળા દેવતાઓ તે વાણીને સર્વ દિશામાં એક યોજન સુધી વિસ્તાર છે. એથી જ એ ધ્વનિ દેવતાઓ વડે વિસ્તારાતો હોવાથી દિવ્યધ્વનિ મહાપ્રાતિહાર્ય કહેવાય છે. ક્ષીરાસવી, સર્પિવાસવી, મધ્વાસવી અને અમૃતસવીર મુનિ ભગવંતોમાં ચૂડામણિ સમાન હે જિનદેવ ! મેરુ પર્વત વડે મંથન કરાતા ક્ષીરસમુદ્રના ધ્વનિ સમાન ગંભીર નાદ વડે જ્યારે આપ ધર્મદેશના આપો છો, ત્યારે માધુર્યરસના સ્વયંભૂરમણ સમુદ્ર સમાન આપના ધ્વનિને અપૂર્વ આનંદથી સંવ્યાપ્ત મન વડે દેવગણો તો સાંભળે જ છે, કિન્તુ અનુપમ, સહજ, પરમસુખના પ્રકર્ષથી જેઓનાં નેત્ર અઈનિમીલિત થયાં છે, એવાં મૃગલાંઓ પણ તીવ્ર સ્પૃહાથી સાંભળે છે. સર્વ જીવોના વચનથી અનંતગુણ ઉપાદેયતાવાળા વચનના સ્વામિનું ! જ્યારે તે મૃગલાંઓ આપના દિવ્ય ધ્વનિને સાંભળે છે, ત્યારે તેઓની ગ્રીવાઓ હર્ષથી ઊંચી થઈ જાય છે અને જાણે ચિત્રમાં અલિખિત હોય તેવાં અતિસ્થિર થઈ જાય છે. હે નાથ ! આપનો તે લોકોત્તમ ધ્વનિ માલવકેશિકી (માલકોશ) પ્રમુખ ગ્રામરાગો વડે પવિત્રિતસંવલિત હોય છે. જગતના પરમગુરુ હે જિનેશ્વર દેવ ! કવિઓ અહીં “પૃ: પીત: ‘તે ધ્વનિનું મૃગલાંઓ વડ પાન કરાયું', એવું એટલા માટે કહે છે કે મૃગલાંઓ ધ્વનિ-પ્રિય હોય છે. સર્વજ્ઞત્વના કારણે સંગીતના ગ્રામરાગોના સર્વસ્વને જાણનાર હે કલાનાથ ! આપ માલવકેશિકી રાગમાં ધર્મદેશના એટલા માટે આપો છો કે તે વૈરાગ્યરસને વ્યક્ત કરવા માટે અતિસરસ હોય છે.' 1. બ્લો. 3. 2. વાણીની આ ચાર મહાન લબ્ધિઓ છે. લબ્ધિવાળા મહાત્માઓની વાણી જાણે ક્ષીર, ધૃત, મધુ કે અમૃતને ન ઝરતી હોય, તેવી અતિ મધુર હોય છે. 3. માનવી વૈરાત્રિશ્નો તો વિશેષ: .. - વી. સો. પ્ર. 5. શ્લો. 3 અવસૂરિ 220 અરિહંતના અતિશયો
SR No.032832
Book TitleArihantna Atishayo
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherSangmarg Prakashan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy