SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ વિનાનું, ઉત્તમ પ્રકારના પરિમલથી સમૃદ્ધ, અબીભત્સ જિોઈને જુગુપ્સા (નફરત) ન થાય તેવું અને સમુદ્રના ફીણ જેવું શુભ્ર (સફેદ) હોય છે. હે નાથ ! આપના શરીરની સર્વ ધાતુઓ પણ જગતનાં સર્વ જીવો કરતાં જુદી જ જાતની હોય છે, તો પછી આપની પ્રત્યેક બીજી વસ્તુ લોકોત્તર હોય એમાં આશ્ચર્ય જ શું છે ? 3. તૃતીય સહજાતિશય : નિઃશ્વાસસૌરભ સંપૂર્ણ જગત પણ જેના મહિમાને ન જાણી શકે એવા હે દેવ ! સકલ જગતમાં કોઈ સુરભિ (સુગંધી)માં સુરભિ વસ્તુ હોય તો તે આપનો નિશ્વાસ છે. તે નિઃશ્વાસની દિવ્ય સુગંધ ચારે દિશાઓમાં એટલી બધી ફેલાય છે કે ભમરાઓ જે જે પુષ્પો પર બેઠા હોય તે તે બધા જ પુષ્પોને છોડી છોડીને આપના નિઃશ્વાસની સુરભિતાને અનુસરે છે. જલમાં ઉત્પન્ન થતાં પુંડરીક આદિ કમળો અને ભૂમિ પર ઉત્પન્ન થતા તિલક, ચંપક, અશોક, કેતકી, બકુલ, માલતી આદિ પુષ્પોના સંપૂર્ણ સમૂહની સુગંધ કોઈ દિવ્ય શક્તિ વડે એકત્ર કરવામાં આવે તો પણ તે સ્વામિન્ ! તે સુગંધ આપની નિઃસ્વાસ-સુરભિતાની તુલના કેવી રીતે કરી શકે ! જગતમાં પરિમલના સાચા રસિક તો ભમરાઓ છે. તેઓ પણ જ્યારે બીજાં પુષ્પોને તજી તજીને આપના નિઃશ્વાસને અત્યંત આકુલતાથી અનુસરે છે, ત્યારે તે સ્વામિનું ! જગતમાં આપના નિઃશ્વાસ કરતાં ચડિયાતી સુગંધ કઈ હોઈ શકે ? ચતુર્થ સહજાતિશય : આહાર-વિહાર ચર્મચક્ષુવાળા માટે અદશ્ય જગતના સૌથી અદ્ભુત નિધાન, હે પરમાત્મનું! સર્વ ક્લેશોની પરંપરાનો સમૂળ નાશ થવાથી આપની અપુનર્ભવ સ્થિતિ (ફરીથી જન્મ ન લેવાપણું) તો ચમત્કારિક છે જ, કિન્તુ સર્વ લોકોને સાધારણ એવી આપની ભવસ્થિતિ પણ અલૌકિક આશ્ચર્યને કરનાર છે, કારણ કે જન્મથી માંડીને નિર્વાણ સુધી આપના આહાર અને નીહાર (મલ વિસર્જન) કોઈ પણ ચર્મચક્ષુવાળા વડે જોઈ શકાતા નથી. (ભગવંતના આહાર-નીહાર આંખથી દેખી શકાય નહીં, અવધિજ્ઞાની જોઈ શકે.) 1. 2. શ્લો. 7. ગ્લો. 8. અરિહંતના અતિશયો 293
SR No.032832
Book TitleArihantna Atishayo
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherSangmarg Prakashan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy