SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ 32. अणावुट्ठी न भवइ, 33. दुब्भिक्खं न भवइ, 34. पुप्पण्णा वि य णं उप्पाइया वाही खिप्पमिव उवसमंति / શ્રી સમવાયાંગ સૂત્ર શ્રી તીર્થકર ભગવાનના 34 અતિશયો 1. કેશ (માથાના વાળ), દાઢી, રોમ અને નખ સદા અવસ્થિત (વૃદ્ધિ વિનાના) હોય. 2. રોગ રહિત નિર્મલ શરીર. 3. ગાયના દૂધ જેવું સફેદ માંસ અને રક્ત. 4. કમલ સમાન સુગંધી શ્વાસોચ્છવાસ. 5. આહાર અને નીહાર (મલમૂત્રત્યાગ) ચર્મચક્ષુવાળા જીવો ન જોઈ શકે, અવધિજ્ઞાની જોઈ શકે. 6. આકાશમાં દેદીપ્યમાન ધર્મચક્ર હોય. 7. આકાશમાં દેદીપ્યમાન ત્રણ છત્ર હોય. 8. આકાશમાં દેદીપ્યમાન શ્વેત ચામર હોય. 9. આકાશમાં પાદપીઠથી સહિત સ્વચ્છ સ્ફટિકમય સિંહાસન હોય. 10. અત્યંત ઊંચો, હજારો નાની પતાકાઓથી સુશોભિત અને રમણીય ઇન્દ્રધ્વજ ભગવાનની આગળ ચાલે. 11. જ્યાં જ્યાં પણ શ્રી અરિહંત ભગવંતો ઉભા રહે અથવા બેસે ત્યાં ત્યાં યક્ષ દેવતાઓ પાંદડાંઓથી સંછન્ન, પુષ્યો અને પલ્લવોથી સમાકુલ, છત્રોથી સહિત અને પતાકાઓથી સહિત એવા શ્રેષ્ઠ અશોક વૃક્ષની રચના કરે. 12. ભગવંતના મસ્તક પ્રદેશના થોડાક પાછળના ભાગમાં ભામંડલની રચના થાય છે, તેનાથી અંધકારમાં પણ દશે દિશાઓ પ્રભાસિત થાય છે. 13. ભગવંત જે પ્રદેશમાં વિદ્યમાન હોય તે ભૂમિપ્રદેશ અત્યંત સમ અને રમણીય થાય છે. 14. કાંટા અધોમુખ થાય છે. 1. અભિધાન ચિંતામણિના વર્ણનથી જેટલું વર્ણન જુદું દેખાય, તેટલું મતાંતર જાણવું. - નાની નાની ધજાઓને પતા કહેવામાં આવે છે. 268 અરિહંતના અતિશયો
SR No.032832
Book TitleArihantna Atishayo
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherSangmarg Prakashan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy