SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ “હે દેવ ! હું એમ માનું છું કે - આકાશને વ્યાપીને શબ્દ કરતો એવો તમારો દેવદુંદુભિ ત્રણ જગતને આ પ્રકારે નિવેદન કરે છે કે - હે ત્રણ જગતના લોકો ! તમે આળસનો ત્યાગ કરીને અહીં આવીને મોક્ષનગરીના સાર્થવાહ એવા આ શ્રી પાર્શ્વપ્રભુને ભજો.” કેટલાક ગ્રંથોમાં ભક્તામર સ્તોત્રની 48 ગાથાઓ મળે છે. તેમાં દુંદુભિ પ્રાતિહાર્ય ગર્ભિત ગાથા-૩૨ આ રીતે છે - गम्भीरतारवपूरितदिग्विभाग-, स्त्रैलोक्यलोकशुभसङ्गमभूतिदक्षः / सद्धर्मराजजयघोषणघोषकः सन्, खे दुन्दुभिर्ध्वनति ते यशसः प्रवादी' / / 32 / / ઊંચા અને ગંભીર ધ્વનિથી દશે દિશાઓને પૂરિત કરનાર અને ત્રણે લોકના લોકોને શુભ સમાગમની વિભૂતિને દેનારો જે દુંદુભિ વાગે છે, તે આપશ્રીના ધર્મરાજ્યની ઘોષણા પ્રગટ કરે છે અને આકાશમાં આપના યશને જ કહે છે. આ ગાથા આ રીતે પણ મળે છે : विश्वैकजैत्रभटमोहमहानरेन्द्र, सद्यो जिगाय भगवान् निगदनिवेत्थम् / संतर्जयन् युगपदेव भयानि पुसां, मन्द्रध्वनिर्नदति दुन्दुभिरुच्चकैस्ते / / ‘સંપૂર્ણ વિશ્વને જિતનાર મહાન યોદ્ધા મોહનરેન્દ્રને ભગવાને તરત જ જીતી લીધેલ છે.” એમ જાણે કહેતો હોય તેમ સર્વ જીવોના સર્વ ભયોની એકી સાથે સંપૂર્ણ રીતે તર્જના કરતો તમારો દુંદુભિ આકાશમાં ગંભીર ધ્વનિ વડે નિનાદ કરી રહેલ છે.” આઠમું મહાપ્રાતિહાર્ય ત્રણ છત્ર खे छत्रत्रयम् / આકાશમાં ત્રણ છત્ર હોય છે. 1. મહા, નવે. પૃ. 373. 2. મહા. નવે. પ્રસ્તાવના પૃ. 10. 3. સર્વ જીવોને જે ભયા હતા, તે તો મહામોહનરેન્દ્રનાં કારણે હતા. હવે તો તે જિતાઈ ગયેલ છે, તેથી ભયો રહ્યા નથી, એ આશય જાણવો. 4. એ. ચિ, કાં, 1 શ્લો. 11 વા, ટી. ૬ર અરિહંતના અતિશયો
SR No.032832
Book TitleArihantna Atishayo
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherSangmarg Prakashan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy