________________ હાલતાં પાંદડાવાળો તે જાણે ભવ્ય જીવોને હાથમાં અગ્રભાગો વડે બોલાવતો ન હોય ! બીજું મહાપ્રાતિહાર્ય પુષ્પવૃષ્ટિ દેવતાઓ જલમાં તથા ભૂમિ પર ઉત્પન્ન થતા અને વિક્ર્વેલા પાંચ વર્ણના વિકસ્વર સુગંધી પુષ્પની સતત વૃષ્ટિ કરે છે. દેવતાઓ આ પુષ્પો એવી રીતે વરસાવે છે કે પુષ્યોનાં ડીંટીયાં નીચે હોય અને વિકસિત મુખભાગ ઉપર હોય. આ વૃષ્ટિ દ્વારા ભગવંતની ચારે બાજુ ભૂમિ પર પુરુષના ઢીંચણ પ્રમાણ પુષ્પોનો થર થઈ જાય છે." સમવસરણભૂમિમાં આ પુષ્પવૃષ્ટિ એક યોજન સુધી સર્વત્ર હોય છે. તેમાં સ્થલજ અને જલજ પુષ્પો સચિત્ત હોય છે અને દેવવિમુર્વિત પુષ્પો અચિત્ત હોય છે. ગમે તેટલા લોકો તે પપ્પા ઉપરથી જાય-આવે તો પણ તે પુષ્યોને ભગવંતના પ્રભાવથી લેશ પણ પીડા થતી નથી, એટલું જ નહીં, કિન્તુ ભગવંતની દેશનાદિના કારણે ગમનાગમન કરનારા તે લોકોના પગના સ્પર્શથી તે પુષ્પો જાણે અમૃતથી સિંચાયાં હોય તેમ વધુ ઉલ્લાસવાળા થાય છે. આ પણ ભગવંતનો જ અચિંત્ય અને અનુપમ પ્રભાવ છે. આ રીતે વસ્તુસ્થિતિ હોવાથી તે સચિત્ત પુષ્પો ઉપરથી ગમનાગમન કરનારા મુનિ ભગવંતોને પણ વિરાધનાનો દોષ લાગતો નથી. 1. तथा जलस्थलजविकुर्वणाविरचितानां पंचवर्णानां विकस्वराणामधःकृतवृन्तानामुपरिमुखाणां મુનાનાં પુરુષનાતોષવૃષ્ટિ %િાર્તા - પ્રવ. સાર, ગા. 840, વૃત્તિ. बिंटछाइं सुरहिं जलथलयं दिव्वकुसुमनीहारिं / પરિતિ સતેvi રસદ્ધવન્ન કુસુમવાસં - આવ. મલય. ગા. 546. નીચાં બિટવાળા, ઉપર વિકસિત દલોવાળાં, પાંચ રંગના, જલ અને ભૂમિને વિશે ઉત્પન્ન થયેલાં, સુગંધિ, મનોહર પુખા તથા જેમાંથી પ્રબલ સુગંધ નીકળી રહેલ છે એવાં દેવકુર્વિત પુખોની વૃષ્ટિ દેવતાઓ ચોતરફ વિસ્તાર છે. આ જ ગાથા વિશેષાવશ્યકભાષ્યમાં આ રીતે છે : बिंटछाई सुरभि जलथलयं दिव्वकुसुमनीहारिं / પતિ સમંતi (સદ્ધવUgi સુમવુ૬િ || - વિશેષા, ભા. 1, ગા. 1979. આવશ્યકસૂત્રની હારિભદ્ર ટીકામાં આ ગાથામાં નિદર શબ્દનો આ રીતે અર્થ કરેલ છે : नीहारिं-निर्हारि-प्रबलो गन्धप्रसरः / અર્થાત્ એવી દિવ્ય પુષ્પવર્ષા કે જેમાં થતી સુગંધન પ્રસાર (ફેલાવો) બહુ જ ઉત્કટ છે. - આવ. હારિ. ગાથા-૫૮૬. 2. આ પ્રવે. સારો. ગા, 440 વૃત્તિનો સારાંશ છે. અરિહંતના અતિશયો 249